ભવનાથ ખાતે ગાંધીજીની જન્મ જયંતી અવસરે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
સમગ્ર દેશમાં પ્રધાનમં નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ ભારત દિવસ’-પૂ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતી, ‘સ્વચ્છ ભારત મિશન’ના સફળતાના શાનદાર 10 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ શહરેનાં ભવનાથ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ રાજશે ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, મહંતશ્રી શેરનાથબાપુ સહિત સંતો મહંતો અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં 2જી ઓક્ટોબર ’સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી સાથે સ્વચ્છતા હી સેવા પખવાડીયાના સમાપન સમારોહમાં એવોર્ડ અર્પણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ માણાવદર તાલુકાને એવોર્ડ એનાયત કરી સન્માન કરાયુ હતુ. જ્યારે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ભેસાણ તાલુકાને પ્રમાણપત્ર એનાયત બહુમાન કરાયુ હતુ. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહીત કરાયા હતા. સંપુર્ણ સવચ્છતા અંતર્ગત નાગરિકોની સહભાગીતાથી સીટીયુની મેગા ક્લીનીંગ ડ્રાઇવ તેમજ બ્લેક સ્પોટનું નિશ્વિત સમયમાં ટ્રાન્સફોર્મેશન કરી વૃક્ષારોપણ દ્વારા સીટીયુનાં સંપુર્ણ પરિવર્તનની શ્રેષ્ઠ કામગીરી કરેલ જૂનાગઢ જિલ્લાની પ્રથમ ત્રણ ગ્રામ પંચાયત ચુડા, મેંદરડા અને વેળવાને એવોર્ડથી સન્માનિત કરાયા હતા.