જૂનાગઢ શહેર અને જિલ્લામાં યોજાયા લોક દરબાર
2015-16માં વ્યાજ ના ચક્કરમાં દુકાન અને ઘર ગુમાવાનો વારો આવ્યો
- Advertisement -
કેશોદ લોક દરબારમાં ત્રણ ફરિયાદ આવી
જૂનાગઢ શહેરમાં વ્યાજ ખોર કરતા અન્ય વધુ ફરિયાદ ઉઠી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગેર કાયદેસર નાણાં ધીરનાર વ્યાજખોરો સામે રાજ્ય સરકાર દ્વારા ખાસ જુંબેશ ઉપાડવામાં આવી છે જેના અનુસંધાને જૂનાગઢ જિલ્લા માં પોલીસ દ્વારા લોક દરબાદ યોજવામાં આવ્યા હતા જેમાં જૂનાગઢ શહેરમાં ત્રણ અલગ અલગ જગ્યા એ લોક દરબાર યોજી વેપારી અને સ્થાનિક લોકો ને વ્યાજખોર સામે આવવા અને ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી હતી. એક તરફ રાજ્ય સરકાર લોકોની વહારે આવી છે તો બીજી તરફ અનેક એવા લોકો છે કે ગેર કાયદેસર રીતે નાણાં ધીરનાર વ્યાજખોરની ચુંગલ ફસાયાની ઘટના સામે આવી રહી છે જેમાં જૂનાગઢમાં રહેતા ભરત પ્રાણલાલ દવે એ વર્ષ 2015 – 16 માં પોતાના ધંધા માટે ઊંચા વ્યાજે રૂપિયા લઈને ફસાયા હતા અને તે વ્યાજ ના વિષચક્ર માંથી નીકળવા માટે આઠ જેટલા વ્યક્તિ પાસેથી 9 લાખ જેટલી અલગ અલગ ડાયરી લેતા તેમાં ફસાયા હતા ત્યારે ભરતભાઈ દવે ખાસ ખબર ની ઓફિસે આવીને સમગ્ર આપવીતી જણાવી હતી વ્યાજ ના વિષચક્ર માં એવાતો ફસાયા કે પોતાની હવેલીગલીમાં આવેલ દુકાન ગુમાવી પડી અને ત્યાર બાદ પોતાનું ઘર પણ ગુમાવાન વારો આવ્યો હતો પણ અંતે એ સમયે પોલીસ ફરિયાદ થતા હાલ કોર્ટ માં કેસ ચાલી રહ્યોછે અને શહરેના 9 લોકો પાસે રૂપિયા ની ડાયરી માં ફસાતા ગઈકાલ યોજાયેલ લોક દરબાર માં પોલીસ ને રજૂઆત કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
બીજી તરફ કેશોદ પોલીસ દ્વારા વ્યાજ ખોરો વિરૂધ્ધમાં લોક દરબાર યોજવામાં આવ્યો ત્રણ વ્યક્તિઓએ આવી વ્યાજ ખોરોના ત્રાસની પોલીસ લોક દરબારમાં રજુઆત કરી હતી જેના ભાગરૂપે કેશોદ નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના અલગ અલગ આગેવાનોએ હાજરી આપી હતી અને આ લોક દરબારમાં કેશોદ ના મેધના સોસાયટી માંથી એક વ્યક્તિ પોલીસને વ્યાજ ખોરના ત્રાસ માંથી છોડાવવા માટે અને પોતાની ફરિયાદ લઈને પોતાના ન્યાય આપવાની માગણી કરી હતી અને આ અરજદારે વ્યાજે આપનાર વ્યક્તિએ જમીન મકાન પડાવી લીધા છે તેનો રસ્તો કાઢી આ લોકોના ત્રાસ માંથી મુક્તિ આપવામાં તેવી પોલીસ ને રજુઆત કરી હતી ત્યારે પોલીસ પણ યોગ્ય કરવાની ખાત્રી આપી હતી તો અન્ય બે અરજદારોમાં એક કેવદ્રા ગામના અને એક કેશોદ ના શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અરજદારોએ પોતાની રજૂઆત કરી હતી પરંતુ તેઓની બેંકિંગ લોનને લઈને વ્યાજ બાબતે ફરિયાદ હતી તેમ છતાં પોલીસે આવા અરજદારોને બેંકના અધિકારીઓ સાથે વાતચીત કરી તેમના પ્રશ્ર્ને યોગ્ય થાય તેવી રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે પોલીસ લોક દરબારમાં આવનાર ફરિયાદી ફરિયાદ દાખલ કરી દાખલારૂપ પોલીસ કાયેવાહી નહિ કરે ત્યાં સુધી લોકો નિભેય બની બહાર ન આવે તેવો પણ સવાલ લોકોમાં ઉઠી રહીયો છે.
વ્યાજખોર સામે સ્કોડ બનાવની માંગ
જૂનાગઢમાં યોજાયેલ લોક દરબારમાં વેપારી ભાઈએ એવી માંગ કરી હતી કે વ્યાજખોર સામે સ્પેશિયલ સ્કોડ બનાવી જોઈએ તેવી માંગ કરી હતી જેમાં હાલ શહેરમાં ડાયરી સિસ્ટમ ચાલી રહી છે જેમાં અનેક વેપારી અથવા સામાન્ય વ્યક્તિ ફસાઈ જાય છે 10 થી 20 ટકા જેટલું ઊંચું વ્યાજ ચૂકવું પડે છે તેની સામે પણ ખાસ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિ લોક દરબાર
જૂનાગઢ શહેરમાં ત્રણ જગ્યાએ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટી અને ડીવાયએસપી સહીત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંગાનાથ રોડ ,દાણાપીઠ અને ગાંધીચોક માં વેપારી અને લોકોની વચ્ચે લોક દરબાર યોજાયો હતો જેમાં પોલીસ અધિક્ષક એ જણાવ્યું હતું કે ગેર કાયદેસર નાણાં ધીરનાર વ્યાજખોરનો ભોગ બનનાર લોકો આગળ આવે અને જે લોકો રૂપિયાની લેતી દેતી કરતા હોઈ તેના પુરાવા રાખવા જરૂરી છે જેના કારણે પોલીસ એવિડન્સ ના આધારે કાયદેસર કાર્યવાહી કરી શકે અને લોકોને એવી પણ અપીલ કરવામાં આવી હતી કે નાનામાં નાની વાત હોઈ તો પણ ફરિયાદ કરશો તો ધોરણસર ની કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી.