નેપાળમાં ફરી એકવાર રાજતંત્રની માગ તેજ બની છે. રાજતંત્ર એટલે કે રાજાશાહીનું સમર્થન કરતી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP)એ કાઠમંડુમાં રેલી કાઢી. જેમાં નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે મોરી સંખ્યામાં લોકો જોડાયા હતા. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર સિંહે તાજેતરમાં દાવો કર્યો છે કે તેઓ ફરી એકવાર દેશ માટે સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે. જો આપણે વડાપ્રધાન કેપી ઓલી અને નેપાળી કોંગ્રેસના વડા શેર બહાદુર દેઉબા વિશે વાત કરીએ તો, નેપાળ માટે ફરીથી રાજાશાહીમાં પાછા ફરવું શક્ય નથી.
જ્ઞાનેન્દ્ર સિંહે જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ
- Advertisement -
CPA-માઓવાદી સેન્ટરના અધ્યક્ષ પુષ્પકમલ દહલ પ્રચંડે પણ કહ્યું કે, ‘જ્ઞાનેન્દ્ર સિંહે જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ. જો પૂર્વ રાજાને લાગે છે કે તેઓ ખૂબ પ્રખ્યાત છે તો તેઓ પોતાની પાર્ટી બનાવી શકે છે. જો જનતા તેમને તક આપે તો તેઓ ફરીથી દેશની સેવા કરી શકે છે.’
એવામાં RPPના સમર્થકોનું કહેવું છે કે નેપાળની સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. આવી સ્થિતિમાં લોકશાહીને હટાવીને ફરી એકવાર રાજાશાહી લાદવી જોઈએ. નેપાળમાં 2008 સુધી રાજાશાહી હતી. રાજાશાહીના અંત પછી, કાઠમંડુના રોયલ પેલેસને મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું હતું.
ગુરુવારે જ્ઞાનેન્દ્ર સિંહે પોખરામાં પૂર્વ રાજા વીરેન્દ્ર સિંહની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં લોકોએ રાજાશાહીનું રાષ્ટ્રગીત પણ ગાયું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રાજાશાહીની માગ કરનારાઓમાં મોટી સંખ્યામાં યુવાનો છે.
- Advertisement -
લોકો વર્તમાન વ્યવસ્થાથી નાખુશ
જ્યારે નેપાળમાં રાજાશાહીનો અંત આવ્યો, ત્યારે લોકોને લાગ્યું કે લોકશાહી દેશ અને લોકો બંનેને ઘણો લાભ મળશે. જો કે હવે નેપાળના લોકો આ સિસ્ટમથી કંટાળી ગયા છે. જ્ઞાનેન્દ્ર સિંહની લોકપ્રિયતા ફરી એકવાર વધી રહી છે. નેપાળ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે લોકોનો મોહભંગ થયો છે. સાથે જ સરકારની વિદેશ નીતિ પણ અસરકારક રહી નથી.
અર્થવ્યવસ્થાની હાલત પણ ખૂબ જ ખરાબ
નેપાળની અર્થવ્યવસ્થા પણ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે નેપાળને આપવામાં આવતી આર્થિક મદદ રોકવાની પણ જાહેરાત કરી છે. સરકાર દેવાના બોજમાં દબાયેલી છે અને આ બોજ વધી રહ્યો છે. આ નાણાકીય વર્ષમાં નેપાળનું બાહ્ય દેવું લગભગ 2 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે.