ગોંડલ નગરપાલિકા દ્વારા સુરેશ્વર પાર્ક, રોડ નંબર-૩ ખાતે રૂ. 24,64,000 ના ખર્ચે ચાર રોડનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. સાથે રઘુવીર સોસાયટીમાં 8 લાખના ખર્ચે પેવર બ્લોક સાર્વજનિક પ્લોટમાં ફિટ કરવામાં આવ્યા હતા, આ તકે ગોંડલના યુવા અગ્રણી જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા (ગણેશભાઈ), ગોંડલ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા, કારોબારી ચેરમેન ભરતસિંહ જાડેજા(રુષીરાજસિહ), અનિલભાઈ માધડ, રુખડભાઈ મકવાણા,બરાજુભાઈ ધાના,બપૃથ્વી સિંહ જાડેજા, અજયસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



