કોર્પોરેશન ચોકમાં મોટી સંખ્યામાં માલધારીઓએ ચક્કાજામ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ RMC દ્વારા પકડવામાં આવતા રખડતાં પશુઓને લઇને આજ રોજ રાજકોટ કરણીસેના દ્વારા RMC કચેરી ખાતે વિરોધ નોંધવવામાં આવ્યો હતો.
રાજપુત કરણી સેના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે રખડતાં પશુઓ પર થતો અત્યાચાર દૂર કરવામાં આવે અને પરમિટના નિયમો હળવા કરવા સહિતની માંગને લઇને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત RMC દ્વારા પરમિટ વગરના પશુઓને વાડા, ખુલ્લા વાડાઓ કે ફળિયામાંથી પકડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેની અમલવારી 1 જાન્યુઆરી, 2024થી કડક કરવા સૂચના આપવામાં આવી હતી, તે અંગે યોગ્ય કરવા રજપૂત કરણીસેના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ તકે વિવિધ સંગઠનો જોડાયને વિરોધ નોંધાવ્યો હતો.