ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.પરિવાર દ્વારા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી રજીસ્ટ્રાર મયંક સોની દ્વારા ત્રિરંગાને લહેરાવી કરવામાં આવી હતી.આ તકે સ્ટાફ પરિવારને સંદેશો પાઠવતા રજીસ્ટ્રાર મયંક સોનીએ જણાવ્યુ હતુ કે આપણો દેશ 15 ઓગસ્ટ,1947 નાં રોજ સ્વતંત્ર થયો હતો. દેશનું કાયમી બંધારણ ના હોવાથી 29 ઓગસ્ટ,1947 નાં રોજ કાયમી બંધારણની રચના માટે ડો. બાબા સાહેબ આંબેડકરનાં વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને 4 નવેમ્બર,1947 નાં રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,308 સભ્યની બંધારણ સભાએ 24 જાન્યુઆરી,1950નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, એટલે કે 26 જાન્યુઆરી 1950 થી ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું.
આ તકે યુનિ.નાં વિભાગિય વડા ડો. ફિરોઝ શેખ, ડો. ભાવસિંહ ડોડીયા, ડો. જયસિંહ ઝાલા, ડો. દિલસુખ સુખડીયા, ડો. ઓમ જોષી, ડો. વિશાલ જોષી, ડો. રૂપલ ડાંગર, ડો. રાજેશ રવિયા, ડો. નિશીથ ધારૈયા, પોલીટેકનીકનાં આચાર્ય પરમાર અને સ્ટાફ, મિડીયા સેલનાં અશ્વિન પટેલ, રમત ગમત સેલનાં સલીમ સીડા, બાંધકામ સેલનાં સમ્રાટભાઇ, નાથાભાઇ સોલંકી, ડો. જીતુભાઇ ભાલોડીયા, ડો.વ્યાસ સહિત યુનિ.નાં વિવિધ વિભાગનાં અધિકારી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુચારૂ સંચાલન ડો. ઋષીરાજ ઉપાધ્યાએ કર્યું હતુ.