વેકેશનના દિવસો ઘટશે તો વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ સ્ક્લિ ડેવલપમેન્ટમાં કરવા અપીલ
કોરોનાના કપરાકાળ દરમિયાન સમાજના દરેક ક્ષેત્ર ઉપર વિપરીત અસર થઈ છે, તેમાં સૌથી વધુ ગંભીર અસર શિક્ષણ જગતને ભોગવવી પડી છે. ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણ વચ્ચે તાલમેલ બેસાડતા વિધાર્થીઓમાં લર્નીગ લોસની અસરના કારણે પાયાનું શિક્ષણ કાચું રહી ગયું છે. આ લર્નીગ લોસને સરભર કરવા માટે અને વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણ પ્રવાહ સાથે જોડવા માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને ઉનાળુ વેકેશન ઘટાડવા અપીલ કરવામાં આવે છે અને આ ઘટાડેલા દિવસોનો ઉપયોગ વિદ્યાર્થીઓના લર્નિગ લોસની ભરપાઇ કરવા અને તેમનામાં સ્કિલ ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે.
- Advertisement -
આ અંગે વધુ જણાવતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા એ પરિસ્થિતિના કારણે વિધાર્થીઓને શિક્ષણમાં મોટું નુકસાન થયું છે. આ નુકસાનને દૂર કરવા માટે શિક્ષણ વ્યવસ્થામાં ઘણા સકારાત્મક ફેરફારો લાવવા જરુરી બન્યા છે. લાંબા સમય બાદ હવે જ્યારે કોરોનાની પરિસ્થિતિ થાળે પડી રહી છે, વિદ્યાર્થીઓમાં પણ વ્યાપક રસીકરણના કારણે થયેલ સુરક્ષિત વાતાવરણમાં લાંબુ ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓને ફરીથી અભ્યાસની દિશાથી દુર લઈ જવાનું કામ કરશે. આમ પણ લોકડાઉન અને ઓનલાઇન લર્નિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ શાળાઓથી દુર ઘરમાં જ ખુબ લાંબો સમય પસાર કર્યો છે.