હવે RBI બંધ કરશે આ 3 બેંક એકાઉન્ટ, જાણી લે જો કયા 3 બેંક એકાઉન્ટ બંધ થશે અને કેમ?
કેમ બંધ કરવા છે આ ‘એકાઉન્ટ’?
- Advertisement -
બેંકિંગ સિસ્ટમમાં વધુ સુધારો કરવા માટે RBI દ્વારા આ એકાઉન્ટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય કારણ છે કે, બેન્કિંગ સિસ્ટમમાં સુધારો અને જે છેતરપિંડી થઈ રહી છે તેના પર અંકુશ લાદવો. જો કે, ડીજીટલાઈઝેશનને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. સાયબર ગુનેગારોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી લેવામાં આવ્યો છે આ નિર્ણય.
RBIનો નિર્ણય છે કે, 3 પ્રકારના બેંક એકાઉન્ટ થશે બંધ. જેમાં નિષ્ક્રિય ખાતું, ઇનએક્ટિવ ખાતું અને ઝીરો બેલેન્સ ખાતું બંધ કરાવવાનું રહેશે.
- Advertisement -
નિષ્ક્રિય ખાતું: આ ખાતા હેઠળ બે વર્ષ અથવા તેથી વધુ સમયથી કોઈ જ વ્યવહાર ન કરવામાં આવ્યો હોય તો આ ખાતું બંધ કરી લેવું. આ બેંક એકાઉન્ટ સાયબર ગુનેગારોના નિશાના પર હોઈ શકે છે. આવા ખાતા બંધ કરવાથી બેંકિંગ સિસ્ટમને સુરક્ષિત રાખી શકાય છે.
ઇનએક્ટિવ ખાતું: આ એક એવું ખાતું છે કે, જેમાં 12 મહિના અથવા તેનાથી વધુ સમય સુધી બેંક એકાઉન્ટ બંધ રહ્યું હોય. તેમજ કોઈ જ ટ્રાન્ઝેક્શન પણ ના થયું હોય. જો કે, આ એકાઉન્ટ તમે બેંકમાં જઈને એક્ટિવ પણ કરાવી શકો છો.
ઝીરો બેલેન્સ: જે બેંક એકાઉન્ટમાં બેલેન્સ જ જળવાઈ રહેલું ન હોય તેવા બેંક એકાઉન્ટને ઝીરો બેલેન્સ કહેવાય છે. જો બેંકમાં તમારું બેલેન્સ ઝીરો હોય એનએ વધુ સમય થઈ ગયો હોય તો આ એકાઉન્ટ બંધ થઈ શકે છે.
શું કરવું?
જો તમારું બેંક એકાઉન્ટ પણ આમાનું એક છે તો તમારે તરત જ બેંકનો સંપર્ક કરવો. તેમજ KYC અપડેટ કરાવી લેવું. તમે KYC ઓનલાઇન પણ કરાવી શકો છો. તેમજ મિનિમમ બેલન્સ જાળવી રાખવું અને ટ્રાન્ઝેક્શનને એક્ટિવ રાખવું.