– બજરંગ દળે રણબીર-આલિયાને ઉજ્જૈન મંદિરમાં ઘૂસવા ન દીધા
ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતાની કામના લઈને મધ્ય પ્રદેશનાં ઉજ્જૈન પહોંચેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ભગવાન મહાકાલનાં દરબારમાં જવાનો મોકો ન મળ્યો. આવામાં બંને દર્શન કર્યા વગર જ પાછા ફર્યા. જોકે, બ્રહ્માસ્ત્ર ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. આ અવસર પર અયાન મુખર્જીએ કહ્યું કે ફિલ્મની સફળતામાં કોઈ શંકા નથી.
- Advertisement -
નોંધનીય છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો હિન્દુવાદી સંગઠનનાં કાર્યકર્તાઓએ મહાકાલેશ્વર મંદિરનાં મુખ્ય દ્વાર પર વિરોધ કર્યો. વિશ્વ હિંદુ પરિષદનાં નેતા અંકિત ચોબેએ જણાવ્યું કે રણબીર કપૂરે બીફને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ જ કારણે મહાકાલનાં મદિરનાં પ્રવેશ દ્વાર પર તેમને રોકવામાં આવ્યા. મંગળવારે ઉજ્જૈન પહોંચીને પણ રણબીર અને આલિયા આશીર્વાદ ન લઇ શક્યા. તેઓ ઉજ્જૈનથી પરત ફરી ગયા. તેમણે ઉજ્જૈન કલેકટર આશિષ સિંહ સાથે પણ મુલાકાત કરી.
View this post on Instagram- Advertisement -
ફિલ્મનું કામ સમાપ્ત થઇ ચુક્યું છે – અયાન મુખર્જી
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળનાં ઘણા કાર્યકર્તાઓનાં મહાકાલ મંદિરની બહાર જમા થવાને કારણે રણબીર અને આલિયા દર્શન ન કરી શક્યા. રણબીર કપૂર અને અલીયા ભટ્ટ સાથે ઉજ્જૈન પહોંચેલા ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ દર્શન કર્યા. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે ફિલ્મનું કામ સમાપ્ત થઇ ચુક્યું છે. ભગવાન મહાકાલ પાસેથી આશીર્વાદ પણ મળી ગયા છે. હવે ફિલ્મની સફળતાને લઈને કોઈ જ શંકા નથી.
View this post on Instagram
સુરક્ષાકર્મીઓએ પણ મંદિરમાં ન જવાની આપી સલાહ
ધાર્મિક નગરી ઉજ્જૈન પહોંચ્યા બાદ રણબીર અને આલિયાએ મંદિરમાં પહોંચવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા, પણ તેઓ સફળ ન થયા. જણાવાઈ રહ્યું છે કે તેમના સુરક્ષાકર્મીઓએ પણ મહાકાલ પહોંચીને સુરક્ષાની વ્યવસ્થાની મોનીટરીંગ કરી, પણ તપાસ બાદ તેમણે પણ રણબીર અને આલિયાને મંદિર ન જવાની સલાહ આપી. ત્યાર બાદ ઉજ્જૈનથી ઇન્દોર માટે રવાના થઇ ગયા.