17મી લોકસભાની કાર્યવાહી આજે રામ મંદિર નિર્માણ અને 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા સાથે સમાપ્ત થશે. રાજ્યસભામાં પણ માત્ર રામ મંદિર અને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા થશે
દેશની સંસદમાં આજે જય શ્રી રામના નારા ગુંજશે. વાત જાણે એમ છે કે, આજે સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. લોકસભામાં આજે એટલે કે શનિવારે સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર ચર્ચા થશે. 17મી લોકસભાની કાર્યવાહી આજે રામ મંદિર નિર્માણ અને 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા સાથે સમાપ્ત થશે. રાજ્યસભામાં પણ માત્ર રામ મંદિર અને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા થશે. આ સંદર્ભમાં ભાજપે શુક્રવારે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો હતો, જેમાં તેણે તેના સાંસદોને શનિવારે બંને ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
- Advertisement -
લોકસભા સચિવાલયના બુલેટિન મુજબ ભાજપના વરિષ્ઠ નેતા સત્યપાલ સિંહ ઐતિહાસિક શ્રી રામ મંદિરના નિર્માણ અને શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પર ચર્ચાની શરૂઆત કરશે. શિવસેનાના સભ્ય શ્રીકાંત શિંદેએ પણ આ મુદ્દે ચર્ચા માટે નોટિસ આપી છે. એવું માનવામાં આવે છે કે, શાસક ગઠબંધનના સભ્યો લાંબી કાયદાકીય લડાઈ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરશે.
વડાપ્રધાન મોદીનો આભાર માનતો ઠરાવ પસાર કરશે
આ તરફ સૂત્રોએ જણાવ્યું કે, સંસદ અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિને પવિત્ર કરવા બદલ વડાપ્રધાન મોદી નો આભાર માનતો ઠરાવ પસાર કરશે. સૂત્રએ કહ્યું, ઠરાવ સિવાય અમૃતકાળમાં વિકસિત ભારત માટે આ સરકારની પ્રતિજ્ઞા અને રામ રાજ્ય જેવું સુશાસન સ્થાપિત કરવાના સંકલ્પ પર પણ ચર્ચા કરવામાં આવશે. સૂત્રએ કહ્યું આપણે કેવા પ્રકારનો દેશ બનાવવા માંગીએ છીએ અને કેવું નેતૃત્વ હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ શકે છે. તેમણે કહ્યું કે, PM મોદી પણ આજે સત્રના અંત પહેલા લોકસભાને સંબોધિત કરી શકે છે.
એક સમાચાર અહેવાલ મુજબ આ અઠવાડિયાની શરૂઆતમાં દેશનું નામ બદલીને ભારત કરવાની માંગ કરતી વખતે સત્યપાલ સિંહે લોકસભામાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી “રામ રાજ્યની સ્થાપના” તરફ કામ કરી રહ્યા છે. સત્યપાલ સિંહે કહ્યું હતું કે, જ્યાં સુધી રામ રાજ્યની સ્થાપના નહીં થાય ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીએ રામ રાજ્યની સ્થાપનાની વાત કરી હતી. વડાપ્રધાન મોદીમહાત્મા ગાંધી, મહર્ષિ દયાનંદ અને દીન દયાલ ઉપાધ્યાયના આદર્શોને અનુસરી રહ્યા છે અને દેશમાં રામ રાજ્યની સ્થાપના માટે કામ કરી રહ્યા છે. નોંધનિય છે કે, આ પહેલા 25 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પછી પહેલીવાર કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રામ મંદિર સમારોહ માટે વડાપ્રધાન મોદીને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.



