રાજકોટની જનતાને તિરંગા યાત્રામાં જોડાવા આહવાન કરતા ભાનુબેન બાબારીયા
15મી ઓગષ્ટે સ્વાતંત્રય પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આગામી 10મી ઓગષ્ટે રાજકોટ ખાતેથી ભવ્યાતિત તિરંગાયાત્રા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘તિરંગાની આન, બાન અને શાન’ થીમ સાથે આ યાત્રાનો પ્રારંભ કરાવશે
- Advertisement -
ભારત સરકારે આ સ્વતંત્રતા દિવસ પર દરેક ઘર, શેરી, વિસ્તાર, સોસાયટી અને ગ્રામ્ય વિસ્તાર સહિત રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે. વડાપ્રધાનએ મન કી બાત કાર્યક્રમ થકી ફરી દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાન ની શરૂઆત કરી છે.
આ અભિયાન અંતર્ગત દેશના નાગરિકો 9 ઓગસ્ટ 2024 થી 15 ઓગસ્ટ 2024 સુધી ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠલળ તિરંગો ફરકાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
દેશની એકતા, અંખડિતતા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રતીક તિરંગાને દેશના તમામ ઘરોમાં લહેરાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહ્વાનને ઝીલી લઈને રાજયના એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા રાજય સરકાર સંકલ્પબધ્ધ છે ત્યારે રાજકોટના તમામ નાગરિકો ઘર પર તિરંગો લહેરાવે અને રાષ્ટ્રભાવનાના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને મા ભારતીનું ગૌરવ વધારે એવી અપેક્ષા સાથે આ તિરંગા યાત્રાથી રાજકોટવાસીઓ દેશભકિતના રંગે રંગાય, અને તેમનામાં દેશભકિત અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
જુદી જુદી કચેરીઓ મારફત ટેબ્લોનું નિદર્શન, ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારના વોર્ડવાઇઝ વધુને વધુ લોકો આ પર્વમાં જોડાઇ તેમજ પોતાના ઘરે તિરંગો લહેરાવે તેવો મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ અનુરોધ કર્યો છે. વધુમાં માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૮મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસસ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવી ને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો છે તથા તે મંત્રી ભાનુબેન બાબરીયાએ પણ પોતાના નિવાસસ્થાનેથી તિરંગો લહેરાવીને આ અભિયાનને સમર્થન આપ્યું હતું.