લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાને કારણે હોબાળો મચી ગયો. રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાને કારણે 1.5 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો.
લખનઉ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પર શનિવારે રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થયા બાદ ખળભળાટ મચી ગયો. જે બાદ કાર્ગો ટર્મિનલને ખાલી કરાવવામાં આવ્યો છે. NDRFની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, જ્યારે સામાનને ચેકિંગ માટે સ્કેન કરવામાં આવી રહ્યો હતો ત્યારે રેડિયોએક્ટિવ મટિરિયલ મળી આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ હાલ તપાસ કરી રહી છે. જેઓ તેની ચપેટમાં આવ્યા હતા તેમને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. રેડિયોએક્ટિવ કિરણો દેખાતા નથી પરંતુ અત્યંત જોખમી હોય છે.
- Advertisement -
CISFનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યો છે. આ મામલે CCSI (ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ) એરપોર્ટના પ્રવક્તાએ પણ નિવેદન બહાર પાડ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે મેડિકલ કન્સાઈનમેન્ટમાં રેડિયોએક્ટિવ પદાર્થ માટે એલાર્મ એક્ટિવેટ થઈ ગયું. એલાર્મનું કારણ જાણવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને બોલાવવામાં અવી છે. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. આ કારણે એરપોર્ટની કામગીરી પર કોઈ અસર થઈ નથી.
માહિતી અનુસાર, રેડિયોએક્ટિવ મટિરિયલ લાકડાના બોક્સમાં પેક કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન તે લીક થઈ ગયું, જેના કારણે એલાર્મ વાગવા લાગ્યું. એલાર્મ વાગતાની સાથે જ સુરક્ષાકર્મીઓ સક્રિય થઈ ગયા હતા. આ પછી NDRFની ટીમોને પણ બોલાવવામાં આવી છે. હાલમાં એ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે કે રેડિયોએક્ટિવ તત્વ એરપોર્ટ સુધી કેવી રીતે પહોંચ્યું. આ વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યો અને સુરક્ષા એજન્સીઓ હાલ તપાસ કરી રહી છે. રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાને કારણે 1.5 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો.
જે લોકો રેડિયોએક્ટિવ મટિરિયલના સંપર્કમાં આવ્યા હતા, તેમને રોકી દેવામાં આવ્યા છે. તપાસમાં સામેલ ત્રણ કર્મચારીઓને અલગ રાખવામાં આવ્યા છે. રેડિયોએક્ટિવ મટિરિયલનું કન્ટેનર અમૌસી એરપોર્ટથી ગુવાહાટીની ફ્લાઈટ દ્વારા મોકલવાનું હતું. એરપોર્ટની ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલ બાજુમાં કન્ટેનરનું સ્કેનિંગ થઈ રહ્યું હતું. એટલામાં મશીનની બીપ વાગી. જેના કારણે કોઈ ગરબડ થવાની આશંકા જાગી.
- Advertisement -
સ્થળ પર હાજર સ્ટાફે કન્ટેનર ખોલ્યું જેમાં કેન્સર વિરોધી દવાઓ હતી. આ દવાઓમાં રેડિયોએક્ટિવ મટિરિયલનો ઉપયોગ થાય છે. કન્ટેનર લીક થઈ રહ્યું હતું જેમાંથી નીકળતા ગેસને કારણે કામદારો બેભાન થઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે. જો કે, એરપોર્ટ પ્રશાસને કર્મચારીઓના બેહોશ થવાની વાતને નકારી દીધી છે. ત્રણ કામદારોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને લીક થતા કન્ટેનરને સુરક્ષિત રીતે એક બાજુએ રાખવામાં આવ્યું છે. કેસની તપાસ ચાલી રહી છે. એરલાઇન્સ સેવાઓ રાબેતા મુજબ ચાલી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી.