હંસાબેન પટેલે ગાંધીગ્રામ PSI રાણા અને કોન્સ્ટેબલ લાવડિયા વિરુદ્ધ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી
ગાંધીગ્રામ પોલીસની દબંગાઈથી ડરી અનવર દારૂવાલાના મકાનમાં ભાડે રહેતી મહિલાએ ન્યાયની માંગ કરી
રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના પીએસઆઈ જનકસિંહ રાણા અને કોન્સ્ટેબલ વનરાજ લાવડિયાએ ગેરકાયદે મુસ્લિમ પરિવાર અનવરભાઈ દારૂવાલાના મકાનમાં ઘૂસી ધાકધમકી આપી 10 લાખ રૂપિયા પડાવવાનો જે કારસો રચ્યો હતો તે અંગેની ફરિયાદ અનવરભાઈ દારૂવાલાના પુત્રી જીલેખાબેન એજાઝભાઈ ભીમાણીએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને હાલમાં જ કરેલી હતી આ ઉપરાંત અનવરભાઈ દારૂવાલાના મકાનમાં ભાડુઆત તરીકે રહેલા હંસાબેન માવજીભાઈ હળવદીયાએ પણ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા પીએસઆઈ જનકસિંહ રાણા અને કોન્સ્ટેબલ વનરાજ લાવડિયા વિરુદ્ધ ઘરમાં ઘૂસીને ગાળો આપ્યા અંગેની ફરિયાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને કરી છે જેમાં ફરિયાદી હંસાબેને જણાવ્યું છે કે, તા. 26/12/2021ના રોજ સાંજના આશરે 5:15 કલાકે મારા ઘરમાં ઓચીંતા પાંચ-છ જણા લાકડી અને પાઈપ સાથે આવી ગયા હતા. અનુસંધાન પાના નં. 2 પર
- Advertisement -
મારા ઘરની ડેલી ખુલ્લી હતી અને ઘરમાં ઘૂસી ગયેલા. હું નીચે હોલમાં એકલી હતી. મને થોડીકવાર તો એમ લાગ્યું કે મારા ઘરમાં ગુંડા ઘૂસી આવ્યા. મેં પૂછ્યું કે શું છે ભાઈ? શું કામ મારા ઘરમાં આવ્યા? તો મને એક ભાઈએ કીધું કે અનવરીયો ક્યાં? મે કહેલું કે ભાઈ હું તો અહીં ભાડે રહું છું. અનવરભાઈ તો પાછળ રહે છે. તો મને તુકારો દઈને કહ્યું કે તું મને બતાવ ત્યાં આવીને. હું ઘરની બહાર નિકળીને જોયું કે બારે બાજુવાળાની નાની છોકરી ઉભી હતી. તો મેં તે છોકરીને કહ્યું કે આ ભાઈને અમારા મકાન માલીકનું ઘર બતાવ. પછી એ છોકરી ભેગા આ બધા લાકડી અને પાઈપ હાથમાં લઈને મકાન માલીકના ઘર પાસે ગયેલા. અને હું ડરીને મારા ઘરમાં પાછી જતી રહેલી.
PSI રાણાને માન જોઈએ છે, સ્ત્રી સન્માન કરવું નથી!
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ વિસ્તારના પીએસઆઈ જનકસિંહ રાણાને કોઈ જરી અમથો તુકારો આપે તો તેમનો પીત્તો હલી જાય છે અને માન-સન્માનની વાત કરવા લાગે છે. પણ આ જ પીએસઆઈ જનકસિંહ રાણા સ્ત્રીઓને માન-સન્માન આપવાનું થોડું સૂઝતું નથી. હાલમાં પીએસઆઈ જનકસિંહ રાણા અને કોન્સ્ટેબલ વનરાજ લાવડિયાએ મળીને પોપટપરા વિસ્તારમાં આવેલા અનવરભાઈ દારૂવાલાનાં મકાનમાં જઈને સૌ પ્રથમ તેમના ભાડુઆત હંસાબેન પટેલ અને ત્યારબાદ તેમની પુત્રી જીલેખાબેન ભીમાણી સાથે ગેરવર્તન કર્યું હતું એટલું જ નહીં, ગાળો પણ ભાંડી ડરાવ્યા-ધમકાવ્યા હતા. નિર્દોષ મહિલા પર ખાખીનો રોફ જમાવનાર આ પીએસઆઈ રાણા જો માન-સન્માન ઈચ્છતા હોય તો સૌ તેમણે પ્રથમ સ્ત્રી-સન્માન કરવાનું શીખવું પડશે અને માન-સન્માનના હક્કદાર બની શકે તેવી કામગીરી કરી દેખાડવી પડશે.
મારા ઘરની ડેલી ખુલ્લી હતી અને ઘરમાં ઘૂસી ગયેલા. હું નીચે હોલમાં એકલી હતી. મને થોડીકવાર તો એમ લાગ્યું કે મારા ઘરમાં ગુંડા ઘૂસી આવ્યા. મેં પૂછ્યું કે શું છે ભાઈ? શું કામ મારા ઘરમાં આવ્યા? તો મને એક ભાઈએ કીધું કે અનવરીયો ક્યાં? મે કહેલું કે ભાઈ હું તો અહીં ભાડે રહું છું. અનવરભાઈ તો પાછળ રહે છે. તો મને તુકારો દઈને કહ્યું કે તું મને બતાવ ત્યાં આવીને. હું ઘરની બહાર નિકળીને જોયું કે બારે બાજુવાળાની નાની છોકરી ઉભી હતી. તો મેં તે છોકરીને કહ્યું કે આ ભાઈને અમારા મકાન માલીકનું ઘર બતાવ. પછી એ છોકરી ભેગા આ બધા લાકડી અને પાઈપ હાથમાં લઈને મકાન માલીકના ઘર પાસે ગયેલા. અને હું ડરીને મારા ઘરમાં પાછી જતી રહેલી.
- Advertisement -
થોડિકવારમાં તે લોકો તરત જ મારા ઘર પાસે વ્હાઈટ કલરની પ્રાઈવેટ ફોર વ્હિલમાં આવેલા અને પાછા લાકડી લઈને ઘરમાં ઘૂસી ગયા અને બે-ત્રણ જણા ઉપર પગથીયા ચઢીને અને બે-ત્રણ જણા નીચે હાથમાં લાકડી લઇને મારા ઘરની ઝડતી લીધેલી, મેં કીધું ભાઈ શું ગોતો છો તમે? તો કહ્યું કે અમે પોલીસ છીએ, ગાંધીગ્રામ પો.સ્ટે.માંથી આવેલા, તો મેં કીધું કે અમારે ત્યા શું છે? તો તેમણે કીધું કે અમે અનવરીયાને ગોતીએ છીએ. તો મેં કહ્યું સાહેબ મારા ઘરમાં શું કામ ઘૂસીને ગોતો છો? તમે તેના ઘરે જાવને ગોતવા. તેને એમ કીધું કે તે ત્યાં નથી. તો મેં કહ્યું કે તે લોકો આજે ગોંડલ પ્રસંગમાં જવાના હતા. તો કદાચ ત્યાં ગયા હશે. પછી મેં કહ્યું કે સાહેબ હું તો ભાડુઆત છું. છેલ્લા પાંચ વર્ષથી અહીં રહું છું. 5000 રૂપિયા ભાડુ આપુ છું. તેનું મારી પાસે ભાડાકરાર છે અને અમે પટેલ છીએ. એ લોકો મુસ્લીમ છે. તો તમે અમારા ઘરે ગુંડાની જેમ શું કામ ઘૂસી ગયા? એ લોકોએ કહ્યું કે અમે પોલીસ છીએ અમે ગમેતેના ઘરમાં ઘૂસી જાય અમને કોઈ રોકીટોકિ ના શકે. મેં કહ્યું કે સાહેબ તમે તો સીવીલ ડ્રેસમાં છો? પોલિસ જેવું કઈ લાગતું નથી? મે કીધું કે તમે ભલે પોલીસ રહ્યા. આ રીતે કોઈના ઘરમાં ઘૂસી ના જવાય. તો મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા. તાત્કાલીક મકાન ખાલી કરી અહીંથી વઈ જાજે અને અત્યારે તું અહીંથી બાર નીકળ એવું કહ્યું.
પછી હું ડરી ગઈ હતી એટલે મકાનને તાળું મારીને બાર ઉભી અને મને કહ્યું કે તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરી આવજે અને અહીં રહેતી નહીં, અમે કાલે પાછા આવવાના છીએ. અને તેઓએ કીધું કે મારૂ નામ પીએસઆઈ રાણા છે અને બીજા ટોપીવાળાએ કીધું કે મારૂ નામ વનરાજ છે, જેને નામ દેવું હોય એને દઈ દેજે. હું તો સાહેબ ડરીને ત્યાથી મારા બનેવી બાવનભાઈ ઉકાભાઈ પટોળીયાને ત્યાં વઈ ગયેલી. જે ગામ- પીપળવા, તા – જેતપુર, જી.- રાજકોટ રહે છે. અને મારા દિકરા હર્ષિતને કહ્યું કે તું મામાને ત્યા વયો જા. જે અમદાવાદ રહે છે. આપ ગૃહમંત્રી સાહેબને મારી નમ્ર અરજ છે કે તાત્કાલીક પગલા લેવા. મને તત્કાલીક મકાન ક્યાં મળે? હું ક્યાં રહેવા જાઉં? રોડ માથે સામાન તો નખાતો નથી? આપ સાહેબને મારી વિનંતી છે કે, આ પોલીસ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી અને મને ન્યાય મળે તે જ અપેક્ષા રાખું છું આપની પાસે. આ મારી અરજને ફરિયાદ ગણવી. બસ આટલું જ આપ સાહેબને વિનંતી કરું છું આ બધી ઘટના મકાન માલિકના સી.સી.ટી.વી ફુટેજમાં છે. એવી ફરિયાદ રાજકોટ શહેર ગાંધીગ્રામ વિસ્તારના પીએસઆઈ જનકસિંહ રાણા અને કોન્સ્ટેબલ વનરાજ લાવડિયા વિરુદ્ધ અનવરભાઈ દારૂવાલાના મકાનમાં રહેતા ભાડુઆત હંસાબેન માવજીભાઈ હળવદીયાએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને કરેલી છે.

ગાંધીગ્રામ પોલીસ મૂકપ્રેક્ષક બની મલાઈ ખાય છે!
બજરંગવાડી પોલીસ ચોકીની બાજુમાં જ ડીઝલ-ગેસ રિફીલિંગનો ધમધમતો કાળો કારોબાર
સરાજાહેર પોલીસની સંમતિથી ચાલતું ડીઝલ-ગેસ રિફીલિંગ કૌભાંડ
ટેન્કરોમાંથી ડીઝલ-ગેસ કાઢી ભરી લેવામાં આવે છે અને જરૂરિયાતમંદ ધંધાર્થીઓને માતબર રકમ લઈને વેંચી દેવામાં આવે છે!
પોલીસ હપ્તા વસૂલી ઉપરાંત કાર સહિતના વાહનોમાં ટેન્કરચાલકો પાસેથી ડીઝલ ભરાવી લે છે
ગાંધીનગરથી સ્ટેટ વિજીલન્સ અને સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ દારૂ-જૂગારના હાટડાઓ પર દરોડો પાડતા હોય છે, ગાંધીગ્રામ પોલીસની સંમતિથી ચાલતા ડીઝલ-ગેસ રિફીલિંગ કૌભાંડ પર ક્યારે તવાઈ બોલાવશે?
રાજકોટ ગાંધીગ્રામ પોલીસના વિસ્તારોમાં બેફામપણે ડીઝલ-ગેસ રિફીલિંગ કૌભાંડનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે અને ગાંધીગ્રામ પોલીસ મૂકપ્રેક્ષક બની મલાઈ ખાય રહી છે. શહેરની બજરંગવાડી પોલીસ ચોકીની બાજુમાં જ બેફામપણે ખાનગી કંપનીઓના ટેન્કરોમાંથી ડીઝલ-ગેસ રિફીલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે અને આ કૌભાંડમાં ગાંધીગ્રામ પોલીસની પણ વરવી ભૂમિકા રહેલી છે.
દ્વારકા-જામનગરમાં આવેલી પ્રખ્યાત કંપનીઓમાંથી ડીઝલ-ગેસ ભરી રાજકોટ આવતા ટેન્કરોમાંથી કોન્ટ્રાક્ટરો અને તેના મળતિયાઓની મીલીભગત નીતિના કારણે ડીઝલ-ગેસનો જથ્થો કાઢી લેવામાં આવે છે. જામનગર જિલ્લામાંથી ગાંધીગ્રામ પોલીસ હેઠળ આવતા વિસ્તારોમાં આઈઓસી ડેપો ખાતે આવતા ડીઝલ-ગેસના ટેન્કરોમાંથી નક્કી થયા મુજબ ડીઝલ-ગેસનો જથ્થો કાઢી લઈ બારોબાર વેચી નાખવામાં આવે છે. આઈઓસી ડેપોમાં 60થી 70 ટેન્કરો માન્ય છે અને અન્ય 150થી 200 ટેન્કરોની આવન-જાવન રહે છે. સમગ્ર નેટવર્ક કોન્ટ્રાક્ટર-ચાલકો અને ગાંધીગ્રામ પોલીસ તંત્રની સાંઠગાંઠના કારણે પૂરબહારમાં ચલાવવામાં આવી રહ્યું છે. આ ટેન્કર દીઠ રૂા. 2500થી 5000નો માસિક હપ્તો ટેન્કરચાલક દ્વારા સ્થાનિક પોલીસને ચૂકવવામાં આવી રહ્યો છે.
જો ક્યારેક આઈઓસીના અધિકારીઓના ચેકિંગમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતાં પકડાઈ જવાય તો ઓછી માત્રા દર્શાવી મામલો રફેદફે કરી દેવામાં આવે છે. ડીઝલ-ગેસના આ કૌભાંડમાં ગાંધીગ્રામ પોલીસ કર્મચારીઓ તથા તેના પરિવારના ટેન્કરો ચાલતા હોવાનું જણાવાઈ રહ્યું છે તેમજ શહેરના છેવાડાના વનવગડા જેવા વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં બદલી પામેલા અને આવું જ નામ ધરાવતા પોલીસમેન દ્વારા સમગ્ર નેટવર્કનો વહીવટ સંભાળવામાં આવતો હોઈ ઉપરી અધિકારીના ચારેય હાથ માથે હોઈ છૂટો કરવામાં આવેલ નથી! ડ પર ક્યારે તવાઈ બોલાવશે?


