PM મોદી વર્ચ્યુઅલી જોડાશે
ખાસ-ખબર સંવાદદાતા
લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદીરના આગામી 21 જાન્યુઆરીએ સાત વર્ષ પૂર્ણ થવા જવા રહ્યા છે જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિ તેમાંનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન 21 જાન્યુઆરી રોજ થશે. આગામી 21 જાન્યુઆરીએ વહેલી સવારમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતમાં 7 દીકરીઓના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે.
આ ભૂમિ પૂજનનું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે કઊઉ સ્ક્રિન ઉપર બતાવવામાં આવશે ભૂમિ પૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાશે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા સહિત ના રાજકીય – સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. અંદાજીત 2 લાખથી વધુ લેઉવા પટેલ સમાજ સહિત દેશ વિદેશથી ભક્તો ઉમટી પડશે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક મહિના સુધી દેશ વિદેશમાં આમંત્રણ આપવા માટે પ્રવાસ કર્યો હતો જેમને લઈને હાલ ખોડલધામ મંદિર ખાતે સ્ટેજ, મંડપ સહિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે 21 જાન્યુઆરીએ પાર્કિંગથી લઈને મંદિર અને કાર્યક્રમ સ્થળ સુધી ત્રણ થી ચાર હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે રહેશે.
- Advertisement -
હોસ્પિટલનું ભૂમિપૂજન સાત દીકરીઓના હસ્તે કરાશે
હોસ્પિટલનું ભૂમિપૂજન સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે. અમરેલી ખાતે થનાર કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનનું લાઈવ પ્રસારણ શ્રી ખોડલધામ મંદિર – કાગવડ સવારે 7.00 કલાકથી નિહાળી શકાશે. ભૂમિપૂજન વિધિ સંપન્ન થયા બાદ શ્રી ખોડલધામ મંદિર – કાગવડ મુકામે લોક ડાયરો, અને સ્ટેજ કાર્યક્રમ યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ભૂમિપૂજન સમારોહના સાક્ષી બનવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે. 21 જાન્યુઆરીનો દિવસ સમગ્ર લેઉવા પટેલ સમાજ માટે ગૌરવશાળી અને ઐતિહાસિક દિવસ રહ્યો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ – કાગવડે તમામ કીર્તિમાન આ દિવસે જ પ્રસ્થાપિત કર્યા છે. 21 જાન્યુઆરી 2017 ના દિવસે વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરમાં માતા ખોડલ સાથે 21 દેવી – દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.