-વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.27મી જુલાઈના રોજ રાજકોટના પ્રવાસે આવનાર છે
-રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામુ: નો એન્ટ્રી, નો પાર્કિંગ જાહેર કરાયા છે. જાણો ક્યાં રસ્તા ખુલ્લા રહેશે અને ક્યાં રસ્તા બંધ રહેશે.
- Advertisement -
જાહેરનામામાં જણાવ્યું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.27/07/23માં રોજ રાજકોટ શહેર પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર છે અને તેઓ એરપોર્ટથી નક્કી કરેલ રૂટ પરથી કોન્વેય પસાર થનાર હોય, જેથી આ રૂટ ઉપર કોઇજાતની ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામે નહીં અને કોન્વેય સરળતાથી પસાર થઇ શકે અને બહારથી આવતી બસોમાં આમ જનતાને તથા રાજકોટ શહેરના વાહન ચાલકોને કોઇ ટ્રાફિકનો અવરોધ ન થાય તે હેતુસર કેટલાક રસ્તાઓ તા.26/07/2023નાં સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી તથા તા.27/07/2023ના બપોરે 12.30 વાગ્યાથી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને “નો-પાર્કિંગ” જાહેર કરવામાં આવેલ છે.
એરપોર્ટથી એરપોર્ટ ફાટક જુની એન.સી.સી.ચોક, પોલીસ હેડ કવાર્ટર સર્કલ થી બહુમાળી ભવન ચોક, જીલ્લા પંચાયત ચોક થી કિશાનપરા ચોક, જુની એન.સી.સી.ચોક રેસકોષ રીંગરોડ ઉપર અને કોટેચા ચોક થી મહીલા અંડર બ્રીજ તથા વિરાણી ચોક થી મહીલા અંડર બ્રીજ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ (સભામાં આવનાર અને કોન્વય સાથે જોડાયેલ તથા સરકારી વાહનોસિવાય) જાહેર કરવામાં આવે છે.
- Advertisement -
નીચે મુજબના રસ્તોઓ બંધ રહેશે
(1) ગીતગુજરી શેરી તરફ થી એરપોર્ટ સર્કલ, રેસકોર્ષ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
(2) આમ્રપાલી અંડર બ્રીજ થી જુની એન.સી.સી ચૌક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
(3) પોલીસ હેડ કવાટર્સ સર્કલ થી જુની એન.સી.સી. ચોક સુધી જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
(4) રૂરલ એસ.પી.ના બંગલા થી રેસકોર્ષ રીંગરોડ તરફ જવા માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
-આદિત્ય બિલ્ડીંગ બહુમાળી થી રેસકોર્ષ રીંગરોડ તરફ જવા માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
-ચાણક્ય બિલ્ડીંગ ચોક થી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
-સરકીટ હાઉસ આઉટ ગેઈટ આંકાશવાણી રોડ થી ગેલેકસી 12-માળા બિલ્ડીંગ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
-ફુલછાબ ચોક થી જીલ્લા પંચાયત ચોક / કિશાનપરા ચોક તરફ જવા અવર-જવર માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
-યાજ્ઞિક રોડ ઠક્કર બાપા છાત્રાલય થી જીલ્લા પંચાયત તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
-હરીભાઇ હોલ યાજ્ઞિક રોડ થી ભારત ફાસ્ટ ફુટ / વિરાણી ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
-ગોડાઉન ચોક થી મહીલા અંડર બ્રીજ સુધી માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
-કોટેચા ચોક, સ્વામીનારાયણ મંદિર થી મહીલા અંડર બ્રીજ અને કિશાનપરા ચોક સુધી પ્રકારનાં વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
-આમ્રપાલી અંડર બ્રીજ અને કિશાનપરા ચોક જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
-ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાટર્સ સર્કલ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
■ નીચે મુજબના રસ્તાઓ ખુલ્લા રહેશે.
-ગીતગુજરી મેઈન રોડ થી આરાધના સોસાયટી મેઈન રોડ થી રેલ્વે ટ્રેક અને રૈયા રોડ કોટેચા ચોક તરફથી જઈ શકશે.
-ચાણક્ય બિલ્ડીંગ ચોક થી તમામ પ્રકારનાં વાહનો શ્રોફરોડ થી ટ્રાફિક શાખા, જામનગર રોડ થી જઈ શકશે.
-સરકીટ હાઉસ આઉટ ગેઈટ આકાશવાણી રોડ થી તમામ પ્રકારનાં વાહનો ચાણકય બિલ્ડીંગ ચોક થી ચોફ રોડ થી ટ્રાફિક શાખા થી જામનગર રોડ તરફ જઈ શકશે.
-ફુલછાબ ચોક થી જીલ્લા પંચાયત ચોક / કિશાનપરા ચોક તરફ જવા માટે તમામ પ્રકારનાં વાહનો ચાણકય બિલ્ડીંગ ચોક થી શ્રોફરોડ થી ટ્રાફિક શાખા થી જામનગર રોડ તરફ જઈ શકશે.
-કોટેચા ચોક, સ્વામીનારાયણ મંદિરથી મહીલા અંડર બ્રીજ, ટાગોર રોડ તફર જવા માટે અમીન માર્ગ લક્ષ્મીનગર બ્રિજ થી જઇ શકશે.
-આમ્રપાલી અંડર બ્રીજ અને કિશાનપરા ચોક જવા માટે હમુમાન મઢી ચોક, નિર્મળા રોડ, કોટેચા ચોક થી અમીન માર્ગ, લક્ષ્મીનગર બ્રિજથી જઇ શકશે.