PM મોદીની ‘જનધન યોજના’થી ગરીબોને મળ્યો સીધો લાભ
સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
સામાન્ય ચૂંટણીઓને હવે થોડો જ સમય બાકી છે. દેશ અત્યારથી જ ઈલેકશનના મુડમાં દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે. હવે તે પોતાના ત્રીજા કાર્યકાળ તરફ મેદાનમાં ઉતરી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની યોજનાઓની સફળતાના બળથી લોકો પાસે વોટ માંગી રહ્યા છે. સરકાર આ યોજનાઓ પર કેટલી ખરી ઉતરી છે, ઑપઇન્ડિયા આવનારા કેટલાક દિવસોમાં તે શોધીને આપની સમક્ષ રાખશે. આ શ્રેણીમાં પહેલા આવરીશું ઙખઉંઉઢ એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજના. સૌથી પહેલા પ્રધાનમંત્રી જનધન યોજના એટલા માટે પસંદ કરવામાં આવી, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલા આ જ મોટી યોજના શરૂ કરી હતી. આ યોજનાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2014ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કરી હતી. આ યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશના દરેક ઘરમાં ઓછામાં ઓછું એક બેંક ખાતું સુનિશ્ર્ચિત કરવાનો હતો. તેના આધારે સરકાર વધુ યોજનાઓ અમલમાં મૂકવા માંગતી હતી, જે પણ લાભદાયક સાબિત થઇ હતી.
- Advertisement -
જનધન યોજનાથી બેંકોની હાલત પણ સુધરી
પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ માત્ર લોકોને જ નહીં પરંતુ બેંકોને પણ મળ્યો છે. લોકો નાની બચત બેંકમાં જમા કરવાને કારણે હવે બેંકોને વધુ મૂડી મળી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓમાં દેશની જનતાએ ₹2 લાખ કરોડથી વધુ રકમ જમા કરાવી છે. આ પૈસા આવવાથી બેંકોનું સંચાલન સરળ થઇ ગયું છે. આ યોજના માત્ર લોકોની બચત વધારવા અને તેમને બેંકના દરવાજ સુધી પહોંચાડવા માટે જ નહીં, પરંતુ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન સન્માન નિધિ, શૌચાલય યોજના અને આવી અનેક યોજનાઓનો લાભ આપવા માટેનો આધાર બની ગઈ છે. તેણે ભારતમાં નાણાકીય ક્રાંતિ લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં મોદી સરકારે શરૂ કરેલી આ યોજના ઑપઇન્ડિયાની તપાસમાં સફળ સાબિત થાય છે. જો કે, આમાં નવીનતા માટે હજી પણ અવકાશ છે.
શા માટે લાવવામાં આવી પ્રધાનમંત્રી જનધન યોજના?
ઙખ મોદી જાણતા હતા કે જ્યાં સુધી સરકારી સહાય સીધી લોકો સુધી નહીં પહોંચે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર ઓછો થશે નહીં અને મદદ સીધી પહોંચે તે માટે, લોકો પાસે બેંક ખાતા હોવા જરૂરી હતું. દેશની આઝાદીના લગભગ 7 દાયકા પૂરા થવા અને બેંકોના રાષ્ટ્રીયકરણ પછી પણ એક મોટી આબાદી પાસે બેંકની સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. વિશ્ર્વ બેંકના એક રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2011 સુધી ભારતની લગભગ 70 ટકા વસ્તી બેંક ખાતાની સુવિધાથી વંચિત હતી.
ખાતા ખુલતાની સાથે જ પહોંચી સીધી મદદ
જનધન ખાતાઓનો સૌથી મોટો ફાયદો દેશની સામાન્ય જનતાને સરકારી લાભ લેવા માટે થયો છે. 10 વર્ષમાં સરકાર દ્વારા લોકોના ખાતામાં સીધા લાભ મોકલવામાં છેલ્લા નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) હેઠળ 2013-14માં માત્ર 10.8 કરોડ લોકોને જ સીધી મદદ મોકલવામાં આવી રહી હતી. તે જ સમયે, કોરોના સમયગાળા દરમિયાન આ સંખ્યા 98 કરોડ પર પહોંચી ગઈ હતી. 98 કરોડ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી હતી.