સદીઓથી આપણા ભારતમાં યાત્રાધામોને રાષ્ટ્રીય ચેતનાનું માધ્યમ માનવામાં આવે છે, આ યાત્રાધામો ફક્ત ભગવાન સુધી પહોંચવાનો માર્ગ નથી, પરંતુ ભારતના આત્માને જોડતી પવિત્ર પરંપરા છે: મોદી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઙખ મોદીએ વારાણસીથી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે કહ્યું, હવે વિદેશી પ્રવાસીઓ પણ વંદે ભારત જોઈને આશ્ર્ચર્યચકિત થઈ જાય છે. વંદે ભારત એ ભારતીયોની, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવેલી ટ્રેન છે. શું આપણે આ પહેલાં કરી શક્યા હોત? આ બધું વિદેશમાં કરવામાં આવતું હતું. હવે આપણે એ કરી રહ્યા છીએ; એ અહીં બનાવવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીએ “નમ: પાર્વતી પતયે” પોતાના ભાષણની શરૂઆત કરી. લગભગ 18 મિનિટ આ સંબોધન ચાલ્યું. મોદી ટ્રેનમાં શાળાના વિદ્યાર્થીઓને પણ મળ્યા. તેમણે બાળકો સાથે વાતચીત કરી. વાતચીત દરમિયાન, એક બાળકે મોદીને એક કવિતા સંભળાવી. મોદીએ બાળકના ખભા પર હાથ મુકીને કવિતા સાંભળી. બાળકનો ઉત્સાહ વધારવા માટે મોદી ચપટી વગાડતા રહ્યા હતા.
પીએમ દ્વારા ઉદ્ઘાટન કરાયેલી ટ્રેનો વારાણસી અને ખજૂરાહો, ફિરોઝપુર અને દિલ્હી, એર્નાકુલમ તથા બેંગલુરુ, લખનઉ અને સહારનપુર વચ્ચે દોડશે. વારાણસીને આ આઠમી વંદે ભારત ટ્રેન મળી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, હવે વિદેશી પ્રવાસીઓ પણ વંદે ભારતને જોઈને આશ્ર્ચર્યચકિત થઈ જાય છે. આ યાત્રાઓ ફક્ત દેવતાઓનાં દર્શનનો માર્ગ નથી, પરંતુ ભારતના આત્માને જોડતી એક પવિત્ર પરંપરા છે.
શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ પીએમ વારાણસી પહોંચ્યા હતા. તેઓ એરપોર્ટથી બનારસ રેલ એન્જિન ફેક્ટરી (ઇઅછઊઈઅ) ગેસ્ટ હાઉસ સુધી રોડ માર્ગે પહોંચ્યા હતા. લગભગ 27 કિમી લાંબા રૂટ પર વિવિધ સ્થળોએ ભાજપના કાર્યકરોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. કાર્યકરોએ ફૂલોનો વરસાદ કર્યો અને ‘હર હર મહાદેવ’ના નારા લગાવ્યા. આ વર્ષે પીએમ મોદીની આ પાંચમી મુલાકાત હતી અને વારાણસીના સાંસદ તરીકે તેમની 53મી મુલાકાત હતી.
મોદીએ કહ્યું, સદીઓથી આપણા ભારતમાં યાત્રાધામોને રાષ્ટ્રીય ચેતનાનું માધ્યમ માનવામાં આવે છે. આ યાત્રાધામો ફક્ત ભગવાન સુધી પહોંચવાનો માર્ગ નથી, પરંતુ ભારતના આત્માને જોડતી પવિત્ર પરંપરા છે. પ્રયાગરાજ, અયોધ્યા, હરિદ્વાર, ચિત્રકૂટ અને કુરુક્ષેત્ર જેવાં અસંખ્ય તીર્થસ્થળો આપણા આધ્યાત્મિક પ્રવાહનાં કેન્દ્રો છે.
આજે જેમ જેમ આ પવિત્ર સ્થળોને વંદે ભારત નેટવર્ક સાથે જોડવામાં આવી રહ્યાં છે એ ભારતની સંસ્કૃતિ, શ્રદ્ધા અને વિકાસને જોડવાના માર્ગ તરીકે પણ કામ કરી રહ્યું છે. ભારતનાં વારસાગત શહેરોને દેશના વિકાસનાં પ્રતીકો બનાવવા તરફ આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
- Advertisement -
વિશ્ર્વભરના વિકસિત દેશોમાં આર્થિક વિકાસનું સૌથી મોટું કારણ ત્યાંનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. એક એવા વિસ્તારની કલ્પના કરો, જ્યાં હાલમાં ટ્રેનો દોડતી નથી. એકવાર રેલવેલાઇન બની જાય અને ટ્રેનો દોડવા લાગે, પછી વિકાસ શરૂ થશે.
કેટલાં એરપોર્ટ બનાવવામાં આવ્યાં છે, કેટલી વંદે ભારત ટ્રેનો દોડી રહી છે અને કેટલા દેશોમાંથી કેટલાં વિમાનો આવી રહ્યાં છે. આ પણ મહત્ત્વપૂર્ણ છે. આજે ભારત આ સંદર્ભમાં વિકાસ કરી રહ્યું છે. આજે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત જેવી ટ્રેનો ભારતીય રેલવેની આગામી પેઢીનો પાયો નાખી રહી છે. આ ભારતીય રેલવેને પરિવર્તિત કરવાનું એક અભિયાન છે.



