PM મોદીએ NCC કેડેટ્સના કાર્યક્રમમાં હાજરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીમાં ગઈઈ કેડેટ્સના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વર્ષની ગણતંત્ર દિવસ પરેડ બે કારણોસર ખાસ છે. પ્રથમ, તે 75મો ગણતંત્ર દિવસ હશે અને બીજું, તે દેશની મહિલા શક્તિને સમર્પિત છે.
પીએમ મોદીએ ત્યાં હાજર કેડેટ્સને કહ્યું કે ’તમારી પેઢીને ૠયક્ષ ણ કહેવાય છે, પરંતુ હું તમને અમૃત પેઢી કહીશ. તમે દેશને નવી ઉંચાઈઓ પર લઈ જશો.’ તમને જણાવી દઈએ કે 1995 થી 2009ની વચ્ચે જન્મેલા લોકોને ૠયક્ષ ણ કહેવામાં આવે છે.
પીએમએ વધુમાં કહ્યું કે ’આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ છે. દીકરીઓમાં સમાજ અને દેશને સુધારવાની ક્ષમતા હોય છે. ઈતિહાસના જુદા જુદા સમયગાળામાં ભારતની દીકરીઓએ પોતાના દૃઢ ઈરાદા અને સમર્પણની ભાવનાથી ઘણા મોટા ફેરફારોનો પાયો નાખ્યો છે.’
પીએમએ બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે ’ગઈકાલે દેશે જનનાયક કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવાનો મોટો નિર્ણય લીધો છે.
યુવાનોએ તેમના વિશે વાંચવું જોઈએ. કર્પૂરી ઠાકુર હંમેશા તેમની સાદગી માટે જાણીતા હતા. તેમનું સમગ્ર જીવન સામાજિક ન્યાય અને વંચિતોના ઉત્થાન માટે સમર્પિત હતું. આજે પણ તેમની પ્રામાણિકતા એક ઉદાહરણ છે.’
- Advertisement -
રાજનાથ 20 જાન્યુઆરીએ NCC કેડેટ્સને મળ્યા હતા
ગઈઈ કેડેટ્સનો એક મહિનાનો ગણતંત્ર દિવસ કેમ્પ ચાલી રહ્યો છે. 20 જાન્યુઆરીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કેડેટ્સ વચ્ચે પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું- ગઈઈ માત્ર રાષ્ટ્રવાદ જ નહીં પરંતુ યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના પણ જાગૃત કરે છે. રાષ્ટ્રીય ગૌરવ એ માનવ હૃદયની સૌથી મજબૂત લાગણી છે. 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 2274 કેડેટ્સ એક મહિના સુધી ચાલનારા નેશનલ કેડેટ કોપ્ર્સ (ગઈઈ) રિપબ્લિક ડે કેમ્પ 2024માં પરેડ માટે ભાગ લઈ રહ્યા છે. જેમાંથી 907 છોકરીઓ છે.પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને 9 મંત્રાલયો અને વિભાગોમાંથી 25 ઝાંખીઓ ભાગ લેશે. આ રાજ્યોના નામ અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, લદાખ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા છે.