રવિવારે સવારે સાડા નવ વાગે (સ્થાનિક સમય) પ્લેન બેબી-લેડીંગ કર્યું ટુકડા થઈ ગયા : પ્લેનનાં પૈડાં બહાર નીકળી ન શકતાં દુર્ઘટના બની
દક્ષિ કોરિયાના યુયાન ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પવનની ગમખ્વાર દુર્ઘટના બનતાં, 179 યાત્રિકો માર્યા ગયાની આશંકા છે. જ્યારે વિમાનના પાછળના ભાગમાં રહેલો એક યાત્રી તથા એક ક્રૂ મેમ્બર જીવંત બહાર નીકળી શક્યા હતા. જેમને યુઆનની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. રવિવારે સવારે સાડા નવ વાગે (સ્થાનિક સમય પ્રમાણે) બનેલી આ દુર્ઘટનાની વિગત તેવી છે કે બેગકોકથી દક્ષિણનાં યુઆન જઈ રહ્યું હતું ત્યારે ઉતરાણ કરતાં પહેલાં તેનાં પૈડાં તેના કેસમાંથી બહાર નીકળી શક્યાં નહીં આથી બોઇંગ-૭૩૭-૮૦૦ પ્રકારનાં આ પ્લેનને બેવી લેન્ડીંગ કરાવવા પાયલોટે નિર્ણય લીધો.
- Advertisement -
તે સમયે જ વિમાનગૃહમાં ઉભેલાઓએ ભારે મોટો અવાજ સાંભળ્યો હતો અને પ્લેન સીધું એરપોર્ટ ફરતી દિવાલ સાથે અથડાયું તેથી પ્રચંડ ધડાકો થયો. પ્લેનના ટુકડા થઈ ગયા. વાસ્તવમાં બેવી લેન્ડીંગ કરતી વખતે પણ વિમાન બે ટુકડામાં વહેંચાઈ ગયું હતું. એરપોર્ટની દિવાલ સાથે અથડાતાં તેના વધુ ટુકડા થઈ ગયા પ્લેન સળગી ઉઠયું પરંતુ પાછળના ભાગે રહેલો એક યાત્રિક તથા એક ક્રૂ મેમ્બર બચી ગયા હતા.
દક્ષિણ કોરિયામાં એક એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાન રન-વે પરથી લપસી જતાં દુર્ઘટના ઘટી હતી. જેમાં 179થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન જેજુ એરમાં 181 મુસાફર સવાર હતા. તેઓ બેંગકોકથી આવી રહ્યા હતા. દક્ષિણ કોરિયાની ફાયર ફાઈટર એજન્સીએ આ દુર્ઘટના પાછળનું પ્રારંભિક કારણ વિમાન લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાતા રનવે પર લપસી પડ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેનો બીજો વીડિયો રજૂ થતાં દુર્ઘટનાનું વાસ્તવિક કારણ જાણવા મળ્યું છે.
- Advertisement -
પક્ષી અથડાતા સર્જાઈ દુર્ઘટના
નવા વીડિયો ફૂટેજ અનુસાર, આકાશમાં જ વિમાન સાથે અચાનક એક પક્ષી અથડાઈ ગયુ હતું. જેના કારણે આકાશમાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી, અને લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયુ હતું. વિમાને બે વખત રનવે પર ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફરી લેન્ડિંગના પ્રયાસ દરમિયાન રનવે પરથી વિમાન લપસી પડ્યું અને વિકરાળ આગ લાગી હતી. બોઈંગ 737 800 જેટમાં ઓછામાં ઓછા 181 લોકો સવાર હતા, જેમાં પાયલોટ સાથે છ ક્રૂ સભ્યો પણ સામેલ હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. જેમાં અત્યારસુધી માત્ર 2 લોકોને બચાવવામાં જ સફળ રહ્યા છે.