હેરાનગતિ અને સમસ્યાઓના કારણે વિરોધનો સૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ રેલવે સ્ટેશન ખાતે લોકો પાયલોટ 36 કલાકની ભૂખ હડતાલ પર ઉતર્યા છે. લોકો પાયલોટ પોતાની વિવિધ માંગોને લઈને ભૂખ હડતાલ કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા પડતી હેરાનગતિ અને સમસ્યાઓના કારણે આ ભૂખ હડતાલ કરવાં આવી છે. તેમજ બુસ્ટ ટ્રેનમાં 8 કલાકથી વધુ ડ્યુટી ન હોવી જોઈએ અને મેલ એક્સપ્રેસ ટ્રેનમાં 6 કલાકથી વધુ ડયુટી ન હોવી જોઈએ. લાંબા સમયથી આ પ્રકારની અનેક માંગણીઓ માટે લોકો પાયલોટ જજુમી રહ્યા છે. આ સાથે જ લોકો પાઇલોટને 36 કલાકની અંદર હેડક્વાર્ટર પર પાછા લાવવા પણ માંગ કરાઈ રહી છે.