સરકારી જમીન પર ધાર્મિક દબાણો સામે બુલડોઝર એકશન બધા નિયમો અને પ્રક્રિયાઓ હેઠળ લેવાયેલા: મુસ્લિમ સંગઠન દ્વારા મામલાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ થઈ છે, પણ સચ્ચાઈ જુદી જ છે: રાજય સરકાર
તાજેતરમાં ગુજરાતમાં ગીર સોમનાથમાં સોમનાથ મંદિર પાસે વહીવટી તંત્રે મોટા બુલડોઝર એકશન લીધા હતા.આ દરમ્યાન વહીવટી તંત્રે મંદિર પાસે દરગાહ અને અનેક ધાર્મિક બાંધકામોને પણ તોડી પાડયા હતા.
- Advertisement -
વહીવટી તંત્રે આ ડિમોલીશન અભિયાન માટે 58 જેટલા બુલડોઝર લગાવ્યા હતા. વિસ્તારમાં આટલા પ્રમાણમાં બુલડોઝર એકશન કેમ લેવામાં આવ્યા તેવો પ્રશ્ન સુપ્રિમ કોર્ટે પૂછતા ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો છે. સુપ્રિમ કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં ગુજરાત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દબાણની સામે લેવામાં આવેલ બુલડોઝર એકશનમાં બધા નિયમોનું અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યુ છે.
ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે મંદિર પાસે જે જે દબાણો હટાવાયા છે તે જમીન અરબ સાગરના તટ પર આવેલી સરકારી જમીન છે. ગુજરાત સરકારે જણાવ્યું હતું કે સોમનાથ મંદિર પાસે દબાણ વિરૂદ્ધ જે અભિયાન ચલાવવામાં આવ્યું તે મહેસુલ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતા અભિયાનનો જ એક ભાગ છે. ગુજરાત સરકારનું માનવુ છે કે તેણે અરબ સાગરના કિનારે આવેલ સરકારી જમીનને દબાણ મુકત કરવા માટે અભિયાન ચલાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે આ મામલામાં એક મુસ્લીમ સંગઠન તરફથી સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજીમાં ગુજરાત સરકારનાં એ અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. જેમણે દરગાહ સહિત અનેક ધાર્મિક બાંધકામો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે પોતાનુ સોગંદનામું દાખલ કરતાં ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે અરબ સાગરના તટ પર આવેલ સરકારી જમીનને કબજા અને દબાણથી હટાવવા માટે બુલડોઝર ચલાવાયું હતું. સરકારે જણાવ્યું હતું કે આ દબાણ સામે સતત ચલાવવામાં આવતા અભિયાનનો જ એક ભાગ છે.
- Advertisement -
ગુજરાત સરકારે મુસ્લીમ સંગઠન દ્વારા દાખલ કરાયેલી દલીલનો વિરોધ કરાયો છે. ગુજરાત સરકારનું કહેવુ છે કે સરકારી જમીનને દબાણ મુકત કરવા માટે નિયમો અને પ્રક્રિયાઓનું પુરેપુરૂ પાલન કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત સરકારે સંગઠન પર આરોપ લગાવ્યો છે કે તેમણે મામલાને સાંપ્રદાયીક રંગ દેવાની કોશીશ કરી છે.જયારે સચ્ચાઈ કંઈક બીજી જ છે. આ મામલે જાણકારી આપતા સરકારે જણાવ્યું હતું કે દબાણ હટાવવાનાં પ્રથમ ચરણમાં 8 ઓકટોબર 2023 ના પ્રભાસપાટણ ગામમાં 26 દબાણ હટાવાયા હતા. સરકારે જણાવ્યું હતું કે એક દબાણ હિન્દુ સમુદાયનું પણ હતું.