ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સોનાપુરી સ્મશાનમાં ધાર્મિક લોકોની લાગણી દુભાઇ તેવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે સોનાપુરી સ્મશાનમાં અનેક દેવી દેવતાની અનેક મુર્તિઓ આવેલી છે. જે ખંડીત થયેલી હાલતમાં જોવા મળે છે. જેના લીધે હિંન્દુ ધર્મના લોકોની લાગણી દુધાઇ રહી છે ત્યારે સ્મશાનમાં અનેક લોકો પોતાના સ્વજનોની અંતિમ ક્રીયા માટે આવતા હોય છે તેની સાથે બહારથી અનેક લોકો સ્મશાનમાં આવેલ મંદિરોના દેવ દર્શન કરવા આવે છે ત્યારે સ્મશાનમાં દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડીત હાલતમાં જોતા લાગણી દુભાઇ રહી છે.
ત્યારે આ મુર્તિઓને વ્હેલી તકે સમારકામ અથવા નવી મૂર્તિ મુકવાની લોકોમાંથી માંગણી ઉઠી છે.