ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, કાંતિ અમૃતિયા અને માજી સાંસદ હરિભાઇ પટેલની ઉપસ્થિતિ, પરસોત્તમ રૂપાલા વિડીયો કોન્ફરન્સથી જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના 41,ન્યુ જાગનાથ ખાતે શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ દ્વારા નવનિર્મિત અતિથી ભવન અને વર્કિંગ વિમેન હોસ્ટેલનું સમાજના જીવનભાઈ ગોવાણી દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેથી ઈ-લોકાર્પણ કરાયુ હતુ. તથા અરજણભાઈ જીવરાજભાઈ જાવિયાના અનુદાનથી કાર્યાન્વિત ઈંઈઞ ઓન વ્હિલ એમ્બ્યુલન્સનું સ્થળ પર જ લોકાર્પણ કરાયુ. અતિથી ભવનના નિર્માણને મુખ્ય દાતા નરશીભાઈ ધરમશીભાઇ કણસાગરા નામ અપાયું છે.જયારે વર્કિંગ વિમેન હોસ્ટેલને મુખ્ય દાતા જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી નામ અપાયું છે. આ નવનિર્મિત સંકુલમાં પ્રથમ અને બીજા માળે કુલ 19 રૂમ છે. જેમાંથી 17 રૂમમાં અતિથી માટેની વ્યવસ્થા કરાઈ છે.2 રૂમ નિ:શૂલ્ક દરે દર્દી અને તેની સાથેના સગા માટે નિ:શૂલ્ક વ્યવસ્થા છે. જેમાં દર્દીને જરૂરિયાત મુજબની તમામ પ્રાથમિક સુવિધા છે. સંકુલના ત્રીજા,ચોથા અને પાંચમાં માળે કુલ 30 રૂમ વર્કિંગ વિમેન હોસ્ટેલ છે. કે જેમાં પાટીદાર સમાજની દીકરીઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા ઉપરાંત ડાઈનીંગ રૂમ, લાયબ્રેરી, ટીવી રૂમ, કોન્ફરન્સ રૂમ, સંકુલ ઓફિસ, ગૃહમાતા રૂમ અને ઓફિસ જેવી વ્યવસ્થા પણ છે. તે ઉપરાંત એક ઈંઈઞ ઓન વ્હિલ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, સૌરાષ્ટ્રના લોકોને ઘર ટ્રીટમેન્ટ અને અમદાવાદ મુંબઈ જવા સુધીની વ્યવસ્થાઓ છે. કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાઈને પાટીદાર સમાજના અગ્રણી, મત્સ્યપાલન,પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીએ જણાવ્યું હતું કે,પાટીદાર સમાજના મોભી પોપટભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) અને તેના મિત્રો દ્વારા1977 માં 41-જાગનાથ ખાતે 770 વાર જગ્યામાં અતિથી ભવનનું નિર્માણ કર્યુ હતું. તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે,પાટીદાર સમાજના યુવાનોએ ઈંઅજ, ઈંઙજ જેવી પરીક્ષાઓની તૈયારી કરી વધુમાં વધુ સરકારના એડમિનિસ્ટ્રેશન વિભાગમાં જોડાવાની હાંકલ કરી હતી. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે,રાજકીય બાબતોથી પર રહી તમામ રાજકીય આગેવાનોએ સમાજ કાર્યમાં હમેશા તત્પર રહેવું જોઈએ.
પોરબંદરના માજી સાંસદ હરીભાઈ પટેલે જણાવ્યું હતું કે,પાટીદાર સમાજ સામાજિક તેમજ આર્થિક ક્ષેત્રે ખૂબ જ વિકસિત થયો છે. શ્રી પટેલ સેવા સમાજના ટ્રસ્ટી ડો.રમેશભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે આવનારી પેઢીને સમાજકાર્યથી માહિતગાર કરવી જોઈએ. શ્રી પટેલ સેવા સમાજ દ્વારા દાતાઓનું કીનાબેન પટેલ, નાનજીભાઈ સંતોકી, વિરમગામા, સૂર્યકાન્તભાઈ ભાલોડીયા વગેરેનું સન્માન કરાયુ હતું. જાહેર સંકલન સમિતિના પ્રમુખ નિલયભાઈ ડેડાણીયાએ જણાવ્યું હતું કે,દાતાઓના સહયોગથી આ કાર્ય ખૂબ જ સરળતાથી પરિપૂર્ણ થયું હતું. અતિથી ભવન અને વર્કિંગ વિમેન હોસ્ટેલ અંગેની વિસ્તૃત માહિતી બાંધકામ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ સાપરિયાએ આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિધી યુવા સંગઠનના પ્રમુખ ડેનિસભાઈ કાલરીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિરાગભાઈ મારડિયા અને રીસ્તા વાઘરિયાએ કર્યું હતું.