ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે ગુજરાતમાં 17 રેલીઓ કરશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. AIMIM પાર્ટી તેલંગાણાથી નીકળીને વિસ્તરી રહી છે. ગુજરાતના મુસ્લિમ અને દલિત મતદારો પર પાર્ટીની નજર છે, આ માટે પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં સતત રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં વધુમાં વધુ સીટો જીતવા માટે ઓવૈસીએ ‘માસ્ટર પ્લાન’ બનાવ્યો છે.
- Advertisement -
શું છે માસ્ટર પ્લાન?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMનો માસ્ટરપ્લાન શું છે? તે અંગે આપણે આ અહેવાલમાં જાણીશું. વાસ્તવમાં ગુજરાતની ચૂંટણીને આડે બે સપ્તાહનો સમય બાકી છે.
અને તેમની પાર્ટી મુસ્લિમ મતદારોને રીઝવવા માટે સખત મહેનત કરી રહી છે. માસ્ટર પ્લાન મુજબ, AIMIM 15 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારી રહી છે, પાર્ટીએ ચૂંટણી માટે 20 લોકોની સોશિયલ મીડિયા ટીમ ઉતારી છે, જે દિવસ-રાત પ્રચારમાં લાગેલી છે.
અસદુદ્દીન ઓવૈસીની 17 રેલીઓ
ગુજરાતમાં પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે 17 રેલીઓ કરશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના 7 ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.
- Advertisement -
AIMIMએ અમદાવાદની 5 સીટો પર ઉતાર્યા ઉમેદવાર
AIMIMએ અમદાવાદમાં પાંચ ઉમેદવારોને ઉતાર્યા છે. પાર્ટીએ અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી હિન્દુ ઉમેદવાર કૌશિકા પરમારને મેદાનમાં ઉતાર્યા છે. બાપુનગર બેઠક પરથી શાહનવાઝ ખાન પઠાણ (સિબુભાઈ), ખાડિયા-જમાલપુર બેઠક પરથી સાબિર કાબલીવાલા, દરિયાપુર બેઠક પરથી હસનખાન પઠાણ, વેજલપુર બેઠક પર ઝૈનાબીબી શેખને ટિકિટ અપાઈ છે. આ બધાની વચ્ચે AIMIMનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.
બે તબક્કામાં થશે મતદાન
સાથે તમામ પક્ષો પોતપોતાની રાજકીય ચાલથી એકબીજાને હરાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. અહીં 182 વિધાનસભા બેઠકો માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે.