દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે. દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન થશે. 21 જુલાઈએ પરિણામ જાહેર થશે.
અટલ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા યશવંત સિન્હા કે જેઓને વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ આજે ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી.
- Advertisement -
તમને જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
એક સમયે તેઓ ભાજપના સૌથી મજબૂત નેતાઓમાંના એક હતા
- Advertisement -
વિપક્ષ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા છે. 84 વર્ષીય યશવંત સિંહાએ IASની નોકરી છોડીને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. એક સમય એવો હતો જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીના સૌથી મજબૂત નેતાઓમાંના એક હતા. તેઓ ત્રણ વખત કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા. તો 1958માં પટના યુનિવર્સિટીના પ્રોફેસર બનવાથી લઇને 2022માં રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવા સુધીની રાજકીય સફરમાં અનેક વખત યશવંત સિન્હાના બળવાખોર વલણ જોવા મળ્યું છે.
राष्ट्रपति चुनाव 2022 मे संयुक्त विपक्ष के राष्ट्रपति पद के उम्मीदवार, श्री यशवंत सिन्हा जी का गुजरात में स्वागत है। pic.twitter.com/KQAhWsufpj
— Jagdish Thakor (@jagdishthakormp) July 7, 2022
યશવંત સિન્હાનો જન્મ બિહાર થયો, IAS અધિકારી બન્યા
યશવંત સિંહાનો જન્મ 06 નવેમ્બર 1937 ના રોજ બિહારના નાલંદા જિલ્લાના અસ્થાવન ગામમાં થયો હતો. તેણે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. આ પછી તેઓ થોડો સમય પટના યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ રહ્યા. 1960માં, સિંહાની ભારતીય વહીવટી સેવા (IAS) માટે પસંદગી કરવામાં આવી હતી. તેમણે 24 વર્ષ સુધી IAS તરીકે સેવા આપી હતી. આ સમય દરમિયાન તેઓ ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી પણ હતા. બાદમાં તેમને જર્મનીના દૂતાવાસમાં ફર્સ્ટ સેક્રેટરી કોમર્શિયલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1973 અને 1975ની વચ્ચે, તેમને ભારતના કોન્સલ જનરલ બનાવવામાં આવ્યા.