સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગેની વીસીમાં ચોંકાવનારી બાબત સામે આવી
SIR બાદ મતદારોમાં ઘટાડો: રાજ્યમાં અનેક મતદાન મથકોના પુન:ગઠનની તૈયારી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યની 9 મહાનગરપાલિકાઓ બાદ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર રાજ અમલમાં હોય તેવા સમયે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પૂર્વે ચૂંટણી તંત્ર સામે નવી સમસ્યા ઊભી થઈ છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) પ્રક્રિયા બાદ મોટા પ્રમાણમાં મતદારોના નામ ઘટાડાતા અનેક મતદાન મથકોમાં મતદારોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી
ગઈ છે.
નિયમ મુજબ એક મતદાન મથકમાં આશરે 1100થી 1200 મતદારો હોવા જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિમાં કેટલાક મથકોમાં માત્ર 200થી 400 જેટલા જ મતદારો નોંધાયા છે.
આ અસંતુલનને ધ્યાને લઈને રાજ્ય ચૂંટણી આયોગે આવા મતદાન મથકોનું રિસ્ટ્રક્ચરિંગ કરવાની સૂચના આપી છે.
માહિતી અનુસાર, માર્ચના અંતિમ સપ્તાહમાં અથવા એપ્રિલ માસમાં મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. તે પહેલાં જઈંછ બાદ તૈયાર થયેલી મતદાર યાદી આધારે વોર્ડ વાઈઝ મતદાર યાદી અને મતદાન મથકો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
તાજેતરમાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં ચૂંટણી આયોગે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં મતદારોની સંખ્યા ખૂબ ઓછી છે, ત્યાં મથકોનું પુન:ગઠન કરીને નજીકના અન્ય મતદાન મથકો સાથે મર્જ કરવાની કાર્યવાહી હાથ ધરવી પડશે. રાજકોટ શહેરમાં પણ આ અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.
હાલ વોર્ડ વાઈઝ મતદાર યાદી તૈયાર થવાની બાકી છે, પરંતુ સૂત્રો અનુસાર શહેરમાં પણ મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે આગામી સમયમાં મતદાન મથકોના પુન:ગઠન બાદ સમાન સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
જિલ્લા તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી તૈયારી દરમિયાન પણ કેટલીક જગ્યાએ બૂથમાં નિયત સંખ્યાથી ઓછા મતદારો નોંધાયા છે.
આવા બૂથોને અન્ય મથકોમાં મર્જ કરવામાં આવે તો કેટલાક મથકોમાં મતદારોની સંખ્યા વધીને વ્યવસ્થાપન મુશ્કેલ બનવાની શક્યતા છે.
સાથે જ કેટલાક મતદારોને પોતાના મતદાન મથક સુધી પહોંચવા માટે 2થી 3 કિમીનો અંતર કાપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર મતદાન મથકોના યોગ્ય ગોઠવણ માટે ગહન વિચારણા કરી રહ્યું છે, જેથી મતદારોને અસુવિધા ન થાય અને ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડી શકે.



