કોરોનાથી અનેકગણો ઘાતક છે નિપાહ વાયરસ: ICMR
નિપાહમાં મૃત્યુ દરની શકયતા 40 થી 70 ટકા કર્ણાટકે સરહદી જિલ્લાઓમાં દેખરેખ વધારી
ખાસ-ખબર સંવાદદાતા
કેરળમાં નિપાહ વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. કોઝિકોડમાં એક 39 વર્ષીય વ્યક્તિ વાયરસથી સંક્રમિત મળી આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર એક્ટિવ કેસ વધીને 4 થઈ ગયા છે. કેરળમાં અત્યાર સુધીમાં નિપાહના કુલ 6 કેસ નોંધાયા છે જેમાં 2 લોકોના મોત થયા છે.કેરળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે મૃત્યુ પામેલ વ્યક્તિ હાલમાં કોઝિકોડની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્ય સરકારે સંક્રમણને ફેલાતો અટકાવવા તૈયારીઓ મજબૂત કરી છે. કોઝિકોડમાં જ્યાં સંક્રમણ જોવા મળ્યું છે તે ગ્રામ પંચાયતોને ક્વોરેન્ટાઇન ઝોન જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારે ગુરુવારે પુણેમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ- નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (ઈંઈખછ-ગઈંટ) ની મુલાકાત લીધી હતી. તેમણે નિપાહ વાયરસને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યને વાયરસ સામે લડવામાં મદદ કરવા માટે ડો માલા છાબરાની આગેવાની હેઠળ એક ટીમની નિમણૂક કરી છે. કેન્દ્ર અને ઈંઈખછ-ગઈંટ એ ગ્રાઉન્ડ ટેસ્ટિંગ માટે કોઝિકોડ ખાતે ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી છે. આ ટીમને બાયોસેફ્ટી લેવલ 3 (ઇજક-3) સાથે મોબાઇલ યુનિટ સાથે મોકલવામાં આવી છે. આ દરમિયાન, કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 15 સપ્ટેમ્બરે કેરળ પહોંચેલા નિપાહ સંક્રમણની સારવાર માટે જરૂરી મોનોક્લોનલ એન્ટિબોડીઝ માટે ઈંઈખછને કહ્યું હતું.
- Advertisement -
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી (છૠઈઇ), તિરુવનંતપુરમની મોબાઈલ વાઈરોલોજી ટેસ્ટિંગ લેબને પણ કોઝિકોડ મોકલવામાં આવી છે. કેરળમાં નિપાહ વાઇરસનું બાંગ્લાદેશી વેરિયન્ટ મળ્યું. આ માણસથી માણસમાં ફેલાય છે નિપાહ વાયરસના કારણે અહીં બે લોકોના મોત થયા છે. કેરળમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા છે. પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્યમાં પુષ્ટિ થયેલ વાયરસ બાંગ્લાદેશી વેરિયન્ટ છે. તે માણસમાંથી માણસમાં ફેલાય છે. આ વાયરસથી મૃત્યુ દર વધારે છે, પરંતુ તે ઓછો ચેપી છે. જ્યારે કેરળના પડોશી રાજ્ય કર્ણાટકમાં સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. કેરળમાં નિપાહ વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને ચાર દર્દીઓનો ઉપચાર ચાલી રહ્યો છે. અને નિપાહ વાયરસનાં કેસો વધી રહ્યા છે. ત્યારે આઈસીએમઆર (ભારતીય ચીકીત્યા અનુસંધાન પરિષદ) પણ ચિંતા જાહેર કરીને જણાવ્યું હતું કે નિપાહ વાયરસનો મૃત્યુ દર કોરોનાથી અનેકગણો વધુ છે. આઈસીએમએમઆરનાં ડીજી રાજીવ બહેલે જણાવ્યું હતું કે નિપાહ વાયરસથી સંક્રમિત 100 લોકોમાંથી 40 થી 70 લોકોના જીવ જઈ શકે છે.
ચેપગ્રસ્ત દર્દીઓમાં લક્ષણો
ઠઇંઘ અનુસાર, નિપાહ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં માથાનો દુખાવો, ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવાની સાથે વાયરલ તાવના લક્ષણો જોવા મળે છે. નિપાહ વાઇરસના કારણે મૃત્યુ દર ખૂબ જ વધારે છે. અત્યાર સુધી કોઈ સારવાર કે રસી (ઈન્જેક્શન) ઉપલબ્ધ નથી. જો લક્ષણો 1-2 અઠવાડિયા સુધી ચાલુ રહે, તો ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.
કેરળમાં નિપાહ વાયરસથી ભયનો માહોલ, કોઝિકોડમાં એક અઠવાડિયા સુધી તમામ શાળા-કોલેજો બંધ
કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કેસો સામે આવ્યા બાદથી જ ભયનો માહોલ સર્જાયો છે. નિપાહ વાયરસને ધ્યાને રાખીને કોઝિકોડમાં સ્કુલ તેમજ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ 24મી સપ્ટેમ્બર એટલે કે આવતા રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસનનું કહેવુ છે કે આગામી અઠવાડિયા સુધી સ્કુલ, પ્રોફેસનલ કોલેજ અને ટ્યુશન સેંન્ટરો ઓનલાઈન ક્લાસ લઈ શકે છે.