‘ભૂખ્યા ઉઠે પણ કોઈ ભૂખ્યા સૂવે નહીં’ તેવા દૃઢ સંકલ્પ સાથે ચાલતી બોલબાલાની અન્નસેવા 365 દિવસ 4 અન્નપૂર્ણા રથ દ્વારા અવિરત ચાલું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 33 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે અને સેવાની જ્યોત જલતી રાખેલી છે. આ સંસ્થા ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ સૂત્રને સાર્થક કરતા અત્યારે સમાજસેવા કરી વાવાઝોડાની પરિસ્થિતિનો સામનો કરી સમાજ વચ્ચે જરૂરિયાતમંદ લોકોને ભોજન તેમના આશ્રય સ્થાન સુધી પહોંચાડી ભોજન સેવામાં પણ મોખરે ઉભી રહી છે.
રાજકોટમાં જ નહીં પણ આસપાસના વિસ્તારમાં પણ ‘ભૂખ્યા ઉઠે પણ કોઈ ભૂખ્યા સૂવે નહીં’ તેવા દૃઢ સંકલ્પ સાથે બોલબાલાની અવિરત ચાલતી અન્નસેવા આ વાવાઝોડા સમયે વાવાઝોડા સ્થળાંતર કરેલા જરૂરિયાતમંદ લોકો રાજકોટના બસ ડેપો, શાળાઓમાં, નીચાણવાળા વિસ્તારોના લાભાર્થીઓના આશ્રય સ્થાન સુધી ગરમાગરમ ભોજન અને ફૂડ પેકેટ પહોંચાડવા બોલબાલા 9-18 બોલબાલા મંદિર ખાતે બોલબાલાના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કંટ્રોલ રૂમ ઉભો કરી વિશેષ રસોડુ અવિરત ચાલુ કરેલું હતું.
બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં આવેલા અતિભારે વરસાદના પગલે આર.એમ.સી.ની પ્રોજેકટ શાખા તેમજ બોલબાલા કાર્યકર્તા- સ્ટાફને સાથે રાખી સતત પાંચ દિવસ સવાર-બપોર-સાંજ અલગ અલગ જગ્યા પર સ્થળાંતર કરેલા હતા તે લોકોને જમાડી જઠરાગ્નિ તૃપ્ત કરી મૌન આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શાળા નં. 10 આશ્રયસ્થાનનું શ્રેષ્ઠ સંચાલન કરવા બદલ બોલબાલા ટ્રસ્ટનું વિશેષ સન્માન કરતા આર.એમ.સી.ના ડેપ્યુટી કમિશનર નંદાણી, કાથરોટીયા, કાશ્મીરાબેન વાઢેર, પ્રોજેકટ શાખાની ટીમ દ્વારા સન્માન સાથે બોલબાલા ટ્રસ્ટની સેવાકીય કામગીરીને બિરદાવી હતી. બોલબાલા સંસ્થા વતી વિશેષ સન્માન સ્વીકારતા ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયે ઉપસ્થિત અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.