ગંગા નદીમાં પ્રદુષણ મામલે હાઈકોર્ટ સખ્ત બની છે અને સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે, ગંગાની સ્વચ્છતાના નામે અધિકારીઓ માત્ર પૈસા ખર્ચી રહ્યા છે. ગંગા સ્વચ્છ નથી થતી.
ગંગા પ્રદુષણને લઈને હાઈકોર્ટમાં દાખલ જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ગંભીર ટીપ્પણી કરી હતી. સરકાર તરફથી રજુ થયેલ વકીલ અજીતકુમાર સિંહને કોર્ટે પૂછયુ હતું કે જળની શુધ્ધતાના મામલે શું કરવામાં આવ્યુ.
- Advertisement -
ન્યાયમિત્ર અરૂણકુમારે કહ્યું હતું કે, ગંગાની સ્વચ્છતાના નામે અધિકારીઓ માત્ર પૈસા ખર્ચી રહ્યા છે.ગંગા સ્વચ્છ નથી થઈ રહી વકીલે કોર્ટને જણાવ્યું કે સીવેજ (ગટર) ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંગ્રહ ક્ષમતાથી બે ગણુ પાણી આવી રહ્યું છે. 60 ટકા સીવર (ગટર) સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્સ સાથે જોડવામાં આવ્યા છે. બાકીની 40 ટકા ગટર સીધી ગંગામાં વહી રહી છે.
કોર્ટે જણાવ્યું હતું કે માત્ર પાણી છોડવાથી ગંગા સાફ નહિં થાય. બીજી બાજુ લોકો ગંદા અને પ્રદુષિત પાણીમાં સ્નાન કરવા ભાવીકો મજબુર બન્યા છે.