SEBIએ 14 મેએ એક પરિપત્રમાં રોકાણકાર માટે મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન માટે ‘KYC રજીસ્ટર્ડ’ સ્ટેટસ પ્રાપ્ત કરવા માટે PANને આધાર સાથે જોડવાની જરૂરિયાતને હટાવી દીધી છે.
મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે પણ પૈસા લગાવો છો તો તમારા માટે સેબીએ એક મોટી રાહત આપી છે. અમુક લોકો KYC રજીસ્ટર્ડ કરવાની સમસ્યાથી ઝઝુમી રહ્યા હતા તે હવે સરળતાથી કરી શકશે. કારણ કે સેબીએ પેન-આધાર સાથે લિંક કરવાના નિયમને હટાવી દીધા છે. તેનો મતલબ છે કે જે લોકો પેન-આધારના લિંક ન હોવાના કારણે મ્યુચ્યુઅલ ફંડ KYC ન હતા કરી શકતા તે હવે સરળતાથી તેને પુરૂ કરી શકે છે.
- Advertisement -
હવે KYC કરવા માટે પાન અને આધારની જરૂર નહીં પડે. હવે આ કામ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ વગર પુરૂ કરી શકાશે. સેબીએ 14મેએ એક પરિપત્રમાં રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન માટે KYC રજીસ્ટર્ડ સ્ટેટસ પ્રાપ્ત કરવા માટે PANને આધાર સાથે જોડવાની જરૂરિયાતને હટાવી દીધી છે. જોકે તે જાણવું જરૂરી છે કે KYC માન્ય સ્ટેટસ માટે કોને આધારને પાન સાથે જોડવાનું રહેશે.
પહેલા પડતી હતી આધાર પાન લિંકની જરૂર
ઓક્ટોબર 2023માં SEBIએ બધા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને 31 માર્ચ, 2024 સુધી પોતાના પાનને આધાર સાથે જોડવા માટે કહ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે લિંક કરવા પર KYC પ્રક્રિયા રોકઈ જશે, જેનાથી રોકાણ ગતિવિધિઓ રોકાઈ જશે. એડ્રેસ પ્રૂફ તરીકે બેંક પાસબુક કે ખાતા વિવરણનો ઉપયોગ કરીને પણ KYC કરી શકાય છે.
- Advertisement -
NRIને મળી સૌથી મોટી રાહત
SEBIના નિર્દેશકથી NRI સૌથી વધારે પ્રભાવિત થયા કારણ કે હવે તેમને આધાર પ્રાપ્ત કરવાની જરૂર નથી. નિયમકે KYC રજીસ્ટર્ડ એજન્સિઓને પાન, નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ હોલ્ડર્સને KYC ચકાસવા કહ્યું છે. લક્ષ્ય પાન અને આધાર કાર્ડના આધાર પર આવકવેરા જેવા ઓફિશ્યલ ડેટાબેસની સાથે રોકાણકારના વિવરણની તપાસ કરવાનો છે.