મનપાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા પોરાનાશક અને ફોગિંગની કામગીરી હાથ ધરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગચાળા દ્વારા ઊભા થતાં જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર 56, અર્બન આશા 415 અને વી.બી.ડી. વોલેન્ટિયર્સ 115 દ્વારા તા. 18થી તા. 24 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 48999 ઘરોમાં પોરાનાશક તથા 735 ઘરોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી.
વધુમાં મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેશન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચો, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવ સમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગિંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેમજ ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 774 પ્રિમાઈસીસોને મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવી છે જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં 278 અને કોમર્શિયલ 3 આસામીઓને નોટીસ આપવામાં આવી છે.