સંસદ પરિસરમાં ધક્કામુક્કી અંગે CISFનું મોટું નિવેદન
સંસદ પરિસરની જવાબદારી સીઅઆઇએસએફ સંભાળે છે : અમે આ ઘટનાની કોઇ તપાસ કરી રહ્યાં નથી : ડીજી શ્રીકાંત કિશોર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
સંસદ પરિસરમાં 19 ડિસેમ્બરે એનડીએ અને વિપક્ષના સાંસદોની વચ્ચે થયેલ ધક્કામુક્કી પ્રકરણ પર કેન્દ્રીય ઔદ્યોગિક દળ (સીઆઇએસએફ) તરફથી મોટુ નિવેદન આપવામાં આવ્યું છે. ડીજી શ્રીકાંત કિશોરે દાવો કર્યો છે કે સાંસદોની વચ્ચે થયેલી ઘટના દરમિયાન તેમની તરફથી કોઇ બેદરકારી થઇ નથી. 13 ડિસેમ્બર, 2001ના રોજ સંસદ પર થયેલા હુમલા પછી હથિયાર લઇ જવાની પરવાનગી નથી. સાંસદોના આરોપ-પ્રત્યારોપ અંગે તેમણે જણાવ્યું છે કે જ્યારે માનનીય સભ્ય આરોપ મૂકે છે કે તો સુરક્ષા દળ ચૂપ રહેવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે સંસદ પરિસરની સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફ સંભાળે છે. સીઆઇએસએફના ડીજી શ્રીકાંત કિશોેરે પત્રકારોને જણાવ્યું હતું કે કોઇ ભૂલ સીઆઇએસએફ તરફથી થઇ નથી. કોઇ હથિયારની પરવાનગી આપવામાં આવી નથી. કિશોરે જણાવ્યું હતું કે સીઆઇએસએફ સંસદના મકર દ્વારની પાસે થયેલ ઘટનાના કેસમાં કોઇ તપાસ કરી રહ્યું નથી. આ ઘટનામાં ભાજપના બે સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હતાં અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતાં.