જૂનાગઢ જિલ્લામાં રેતી બની વધુ એક વખત લોહીયાળ
બેફામ બનતા રેતી માફિયા સામે ખાણ ખનીજ ખાતુ લાચાર
- Advertisement -
ખાસ ખબરસંવાદદાતા
તાજેરતમાં વંથલીનાં બાલોટ ગામમાં સરપંચે નદીમાંથી રેતી કાઢવાની ના પાડતા રેતી માફિયાઓએ સરપંચનાં કાકાનું અપહરણ કરી ગયા હતાં. આ ઘટના તાજી છે ત્યારે જ સરસઇમાં રેતી માફિયાઓ પોતાનું પ્રોત પ્રકાશ્યું છે. રેતીનાં ટ્રેકટર ચલાવવા મુદે સરસઇમાં પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી છે. આ અંગે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
જૂનાગઢ જિલ્લામાં રેતી માટે અનેક વખત લોહિયાળ અથડામાણ થઇ છે. રેતી માફિયાઓની દાદાગીરીથી લોકો પરેશાન થઇ ગયા છે. ગામડામાં રેતીનાં ટ્રેકટર ચાલવી રસ્તા પણ બરબાદ કરી નાખ્યાં છે. રેતી માફિયાની ગુડાગીરી સામે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ પણ લાચાર બન્યું છે. અથવા તો ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓને આવા માફિયાઓ સાથે સારા સંબંધો હોય તેવી ચર્ચા છે.
- Advertisement -
પરિણામે રેતી માફિયાઓ જિલ્લામાં બેલગામ બન્યાં છે. રેતીનાં ટ્રેકટર અને ટ્રક ભરીને રસ્તા પર બેખોફ નિકળે છે. પરંતુ કોઇ તેનો વાળ વાંકો કરી શકતું નથી. રેતી માફિયાઓની દાદાગીરીની અનેક ઘટના બનતી રહે છે. તાજેતરમાં વંથલીનાં બાલોટમાં રેતી માફિયાઓએ સરપંચનાં કાકાનું અપહરણ કરી કેફી પીણુ પીવડાવી દીધું હતું.
આ ઘટનાનાં પડઘા હજુ શાંત થયા નથી ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. વિસાવદરનાં સરસઇમાં ગેરકાયદેસર રેતીનું વહન કરતા ભાઇઓએ જ ભાઇનાં ખેતરમાંથી રેતીનાં ટ્રેકટર કાઢવા મુદે જીવલેણ હુમલો કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ વિસાવદરનાં સરસઇ ગામે આંબાજળ નદીનાં કિનારા નજીક રાવતભાઇ જેઠસુરભાઇ કહોરની સાડા ચૌદ વિઘા જમીન આવેલી છે.જેમાંથી આઠ વિઘામાં બાજરીનું વાવતેર કર્યુ છે. બાજુમાં તેમનાં ભાઇઓની જમીન આવેલી છે.
તેમનાં ખેતર જવા માટે બે રસ્તા છે. છતા પર રાવતભાઇનાં બાજરીનાં પાકને નુકશાન થાય તેમ રેતીનાં ટ્રેકટર ધરાર ચલાવવા માંગે છે. રાવતભાઇએ ના પાડી હતી. ત્યારે ગઇકાલે સાંજનાં રાવતભાઇનાં પુત્ર રઘુવીરને ચેતનભાઇએ ફોન આવ્યો હતો. બાદ રાવતભાઇ તેમનાં પુત્ર રઘુવીરભાઇ અને ઉમેદભાઇ સતાધાર રોડ પર રામાપીરનાં મંદિરથી આગળ બાઇક લઇને ગયા હતાં.બાઇકમાંથી રાવતભાઇ નીચે ઉતેર ત્યાં જ તેમનાં ભત્રિજા સિધ્ધાર્થ કહોરે લોખંડનો પાઇપ મારી દીધો હતો અને ગભરૂ જેઠસુરભાઇ કહોર હાથમાં છરી લઇને દોડ્યાં હતાં. ત્યારે રઘુવીર અને ઉમેદ વચ્ચે પડ્યાં હતાં. જેમાં રઘુવીરભાઇ અને ઉમેદભાઇને હાથમાં છરી મારી હતી. બન્ને લોહી લુહાણ થઇ ગયા હતાં.
લોહી લુહાણ હાલતમાં પિતા,પુત્ર ત્યાંથી જીવ બચાવી ઘરે આવ્યાં હતા અને સારવાર માટે હોસ્પિટલ ગયા હતાં. જેમાં રાવતભાઇને માથામાં બે ટાંકા આવ્યાં હતા અને ઉમેદભાઇને અગુંઠામાં છરી લાગતા 6 ટાંકા આવ્યાં હતાં. આ ઘટનાનાં પગલે રાવતભાઇ જેઠસુરભાઇ કહોરે ગભરૂ જેઠસુરભાઇ કહોર, ચેતન મેરામભાઇ કહોર, સિધ્ધાર્થ બિચ્છુભાઇ કહોર સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે બેફામ બનેલા રેતી માફિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.