સુરેન્દ્રનગર તથા દેવભુમિ ઘ્વારકા જીલ્લાના ઈચિંતન અભ્યાસવર્ગમાં અંજલીબેન રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડયુ
દેશની શાંતિ, સલામતી, સુરક્ષા અને સમૃધ્ધિ માટે કેન્દ્રની ભાજપ સરકાર ઘ્વારા અનેકાનેક આવકારદાયક અને પ્રેરણાદાયક પગલા લેવાયા છે : નિતીન ભારઘ્વાજ
વિશ્વના દેશોનો ભારત ઉપરનો ભરોસો, પ્રતિષ્ઠા અને પહેચાન આગવી ઓળખ પામતી જાય છે, તેનુ એક દેશવાસી તરીકે આપણને ગૌરવ છે : અંજલીબેન રૂપાણી
રાષ્ટ્રીય ભાજપની યોજનાનુસાર અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આગળ ધપાવવા માટે તેમજ ભારતીય જનતા પાર્ટીને વટવૃક્ષ બનાવવામાં જનસંઘથી લઈ વર્તમાન સમય સુધીના અનેક મહાનુભાવોએ સતત ચિંતન અને ચિંતા કરી છે ત્યારે આવા ત્યાગી અને તપસ્વી મહામાનવના જીવનમાંથી કાર્યકર્તાઓને પ્રેરણા મળે તેવા આશયથી ભારતીય જનતા પાર્ટી ધ્વારા સમયાતરે વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે છેલ્લા એક માસના દર મંગળવારે પ્રદેશ કક્ષાનો અને દર શુક્રવારે જીલ્લા અને મહાનગર કક્ષાનો અભ્યાસવર્ગ યોજવામાં આવતો હોય છે. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજી તથા રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ જુદા–જુદા વિષયો ઉપર જેવા કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એન.ડી.એ. સરકારની સાત વર્ષની સિધ્ધીઓ, કૃષી ક્ષેત્રમાં સુધારાઓ અને ઉપલબ્ધીઓ, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી જીવન તથા વિચાર વિષય, તેમજ રાષ્ટ્રીય સુરક્ષા જેવા વિષયો ઉપર પ્રદેશ ભાજપનાઆગેવાનો ધ્વારા અભ્યાસવર્ગ યોજાયા બાદ તા.૨૩/૭ના શુક્રવારના રોજ ‘આપણી વિદેશ નીતિ અને ઉપલબ્ધીઓ’ વિષય પર પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ ભાવનગર શહેર અને જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સર્વે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ભારતીબેન શીયાળ, વિનોદભાઈ ચાવડા, કશ્યપભાઈ શુકલ, ડો. ભરતભાઈ કાનાબાર, ડો. રેખાબેન ડુમરાણી, રાજીવભાઈ પંડયા, મુકેશભાઈ લંગારીયા,નારણભાઈ કાછડીયા, પરષોતમભાઈ સોલંકી, રાઘવભાઈ મકવાણા, કેશુભાઈ નાકરાણી, ભીખાભાઈ બારૈયા, આત્મારામભાઈ પરમાર, યોગેશભાઈ બદાણી, અરૂણભાઈ પટેલ, દેવેન્દ્રસીહ ચુડાસમા, ભૂપતભાઈ બારૈયા, કેતનભાઈ કાત્રોડીયા, હરેશભાઈ વાંક, કીર્તીબેન દાણીધારીયા,ભરતસીહ ગોહીલ સહીતના અગ્રણીઓ આ ઈ-ચિંતન શીબીર જોડાયેલ. આ તકે નિતીન ભારાજે ભાવનગર જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને વક્તવ્ય આપેલ.
આ તકે સુરેન્દ્રનગર અને દેવભુમિ ઘ્વારકાના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ ઈ–ચિંતન શીબીરના માધ્યમથી પ્રદેશ ભાજપ મહીલા અગ્રણી અંજલીબેન રૂપાણી માર્ગદર્શન પુરૂ પાડેલ. આ ઈચિંતન શીબીરમાં બીનાબેન આચાર્ય, નીમુબેન બાંભણીયા, પ્રદિપભાઈ ખીમાણી, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા પુનમબેન માડમ, વર્ષાબેન દોશી, જગદીશભાઈ મકવાણા, ખીમજીભાઈ જોગલ, અનીરૂધ્ધસિહ પઢીયાર, હીતેન્દ્રસિહ ચૌહાણ, જયેશભાઈ પટેલ, શૈલેષભાઈ કણઝરીયા, યુવરાજસિહ વાઢેર, મયુરભાઈ ગઢવી, પબુભા વિરમભા માણેક, મુળુભાઈ બેરા, કિરીટસિહ રાણા, ધનજીભાઈ પટેલ, પરષોતમભાઈ સાબરીયા સહીતના આગેવાનો જોડાયા હતા. આ તકે નિતીન ભારધ્વાજ અને અંજલીબેન રૂપાણીએ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ ધ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર ધ્વારા છેલ્લા સાત વર્ષ દરમ્યાન આપણા દેશને અન્ય ક્ષેત્રોમાં મળેલ સિધ્ધિઓ અને વિદેશ નીતિની સિધ્ધિઓ વર્ણવતા જણાવેલ કે ભારતના કૌશલ્યનું મહત્વ દુનિયાને કેવી રીતે સમજાવી શકાય એ દિશામાં કાર્ય થયેલ છે.આ ઉપરાંત દેશ સ્વતંત્ર થયા પછી દેશની શાંતિ, સલામતી અને સુરક્ષા, સમૃધ્ધિ માટે ભાજપની કેન્દ્ર સરકાર ધ્વારા અનેકાનેક પ્રેરણાદાયક પગલા લેવાયા છે. સીમા પારના આતંકવાદને નાબુદ કરવા કેન્દ્ર સરકારે મજબુત અને કડક પગલા લીધા છે. તો છાશવારે સરહદો પર અડપલા કરતા ચીન સામે લાલ આંખ કરીને તેને પણ શાનમાં સમજાવી દેવાયુ છે. અને વિશ્વના મોટાભાગના દેશો જેમ કે અમેરીકા, બ્રીટન, રશીયા, જાપાન, ઈઝરાયેલ આંતકવાદ સામેની લડાઈમાં ભારતની નિતિની સરાહના કરી રહયા છે.છેલ્લા સાત વર્ષોમાં ઘણુ પરીવર્તન આવ્યુ છે, વર્ષોથી અટકેલા પ્રોજેકટ જેવા કે અફઘાનીસ્તાન નું સંસદ ભવનનું મકાન તથા મોટો ડેમ, બાંગ્લાદેશમાં રોડ અને રેલ્વે પ્રોજેકટ, શ્રીલંકામાં યુદ્ધ દરમિયાન નષ્ટ થયેલ તામીલ લોકોના મકાનો વગેરે છેલ્લા સાત વર્ષોમાં પૂર્ણ થયા છે. તદઉપરાંત છેલ્લા પાંચ વર્ષોમાં ભાજપ સરકારના કાર્યકાળમાં મોરેશિયસ માં સુપ્રીમ કોર્ટનું મકાન, મેટ્રો એકસપ્રેસ, સોશ્યલ હાઉસીંગ ના પ્રોજેકટ પૂર્ણ થઈ ગયા છે. આમ વિશ્વના મોટા દેશોએ ભારતની આ નવી ક્ષમતાને ઓળખી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંપૂર્ણ પરીવર્તન કરવાની નેમ, કામ કરવાની વિશેષ પધ્ધતી અને લોકો સાથે સંપર્ક બનાવવાની કુનેહને કારણે વિશ્વભરમાં ‘ભારત માતા’ નું ગૌરવ વધ્યુ છે.
- Advertisement -
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની સીમાઓ સુરક્ષીત બની છે, દેશનો જવાન આધુનિક શસ્ત્રોથી સજજ છે, શસ્ત્રોની બાબતમાં દેશ આત્મનિર્ભર બનતો જાય છે. આજે ‘ક્લાઈમેટ ચેન્જ’ હોય કે ‘યોગા’ દરેક બાબતોમાં વિશ્વના દેશોનો ભારત ઉપરનો ભરોસો, ભારતની પ્રતિષ્ઠા અને ભારતની પહેચાન આગવી ઓળખ પામતી જાય છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ વિભાગોનું સંકલન સાધી નવી સાત સૂત્ર કાર્યક્રમ જેમાં ભારત વિશે દુનિયાની સોચ કેવી રીતે બદલાય, નવી ભાગીદારીઓ સ્થાપિત કરવી, વૈશ્વિક કાર્યસુચિ–ગ્લોબલ એજન્ડા કેવી રીતે નકકી થાય, વિદેશ નીતિ ધ્વારા દેશની પ્રગતિ કેવી રીતે થાય, લોક કેન્દ્રીત વિદેશનીતિ કેવી રીતે થાય?, ભારતીય મુળના વિશ્વમાં વસતા લોકો અને આપણી વિરાસત અને પરંપરાગત વિચારોના આધારે આપણી નીતિ બને એમ આ વિદેશનીતિના સાત સૂત્રીય કાર્યક્રમમાં હકારાત્મક પરીણામો દેશની મળી રહયા છે અને દેશે મહદઅંશે તેમા સફળતા હાંસલ કરી છે તેનુ આપણને સૌને ગૌરવ છે. આ તકે ભાવનગર જીલ્લા ઈચિંતન શીબીરનું સંચાલન ભાવનગર શહેર મહામંત્રી દેવેન્દ્રસીહ ચુડાસમાએ અને સુરેન્દ્રનગર અને દેવભુમિ ઘ્વારકા જીલ્લાના ઈચિંતન વર્ગનું સંચાલન સુરેન્દ્રનગર જીલ્લાના મહામંત્રી જયેશભાઈ પટેલે કરેલ હતું.