By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    2 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    2 days ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    3 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    3 days ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
    20 hours ago
    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન
    21 hours ago
    ગાઢ ધુમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર અનેક વાહનો અથડાયા, ઘણા ઘાયલ
    22 hours ago
    કેબિનેટે સિવિલ પરમાણુ ઊર્જા ક્ષેત્રને પરિવર્તન માટે ખોલવા માટે SHANTI બિલને રંગ આપ્યો
    22 hours ago
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    22 hours ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    22 hours ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    2 days ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    2 days ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    20 hours ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    6 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘બંટા વ્યાજ’નો નવો ટ્રેન્ડ: રાજકોટનાં મજબૂર લોકો ચૂકવે છે…વાર્ષિક 3600% વ્યાજ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘બંટા વ્યાજ’નો નવો ટ્રેન્ડ: રાજકોટનાં મજબૂર લોકો ચૂકવે છે…વાર્ષિક 3600% વ્યાજ!
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

‘બંટા વ્યાજ’નો નવો ટ્રેન્ડ: રાજકોટનાં મજબૂર લોકો ચૂકવે છે…વાર્ષિક 3600% વ્યાજ!

Khaskhabar Editor
Last updated: 2022/10/13 at 6:35 PM
Khaskhabar Editor 3 years ago
Share
9 Min Read
SHARE

એક વખત પૈસા વ્યાજે લીધાં તો મર્યા જ સમજો…

રાજકોટમાં ફરી એકવાર વ્યાજંકવાદના રાક્ષસે બેફામ બની માથું ઊંચક્યું છે, શહેરમાં છાનેખૂણે લાયસન્સ વિના નાણાં ધિરતા વ્યાજખોરો પૈકી મોટાભાગના વ્યાજખોરો મહિને 300 ટકા સુધીનું વ્યાજ વસૂલી રહ્યા છે. મતલબ કે, દરરોજનું 10 ટકા જેટલું વ્યાજ. વ્યાજનું પણ વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિથી પણ વધુ વ્યાજ. વ્યાજ પર પૈસા લેવા-દેવાની દુનિયામાં આ વ્યાજને બંટા નામથી ઓળખવામાં આવી રહ્યું છે. બંટા વ્યાજ પર પૈસા લેનારે દિવસ-કલાક મુજબ વ્યાજે લીધેલા પૈસાનું બેગણું વ્યાજ ચૂકવું પડે છે. એવું કહેવાય છે કે, બંટા એટલે બેગણું. બંટા વ્યાજે પૈસા લેવા-આપવા મતલબ કે, બેગણા વ્યાજ પર પૈસા લેવા-આપવા. આ સિવાય બંટા વ્યાજ એટલે બંટીડાઓનું વ્યાજ. બાપ કમાઈ બાબુડીઓ કે બબુડીઓ જે વ્યાજ ભરી શકે એને બંટા વ્યાજ કહેવાય છે. મોટેભાગે બંટા વ્યાજ પર પૈસા ટૂંકા સમયગાળા માટે લેવામાં આવે છે. બંટા વ્યાજમાં દરરોજ કલાકેકલાકનું વ્યાજ ચઢતું જ જાય છે. મુખ્યત્વે જુગારીઓ બંટા વ્યાજ પર પૈસા લેતા હોય છે. બંટા વ્યાજ પર પૈસા લીધા બાદ તેનું વ્યાજ બેગણુંથી વધુ ચૂકવવાનું થતું હોય અમુક કલાકો કે દિવસોમાં જ બંટા વ્યાજે પૈસા લેનારે વ્યાજ સહિત મૂળ મૂડી બંટા વ્યાજે પૈસા આપનારને પરત કરવાની હોય છે. અનુસંધાન પાના નં. 2 પર

- Advertisement -

જો બંટા વ્યાજ હેઠળ તમે એક લાખ રૂપિયા વ્યાજે લો તો રોજનું દસ હજાર રૂપિયા વ્યાજ ચૂકવવું પડે

બંટા વ્યાજ એટલે શું?
બંટા એટલે બેગણું. બંટા વ્યાજે પૈસા લેવા મતલબ કે, બેગણા વ્યાજ પર પૈસા લેવા. આ સિવાય બંટા વ્યાજ એટલે બંટીડાઓનું વ્યાજ. બાપ કમાઈ બાબુડીઓ કે બબુડીઓ જે વ્યાજ ભરી શકે એને બંટા વ્યાજ કહેવાય.

બંટા વ્યાજમાં કેટલું વ્યાજ વસૂલાય છે?
બંટા વ્યાજમાં વ્યાજખોરો મહિને 300 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે. મતલબ કે, દરરોજનું 10 ટકા જેટલું વ્યાજ. જો આ વ્યાજ ચૂકવવામાં થોડું પણ મોડું થાય તો કલાક મુજબ વ્યાજના વ્યાજનું પણ વ્યાજ ચઢતું જાય છે અને પેનલ્ટી પણ લાગે છે.

- Advertisement -

બંટા વ્યાજ પર રાજકોટમાં કોણ અને ક્યાં પૈસા આપે છે?
રાજકોટમાં બંટા વ્યાજ પર પૈસા મોટાભાગે વિધર્મીઓ આપી રહ્યા છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં બંટા વ્યાજનું દૂષણ ખૂબ જ ફેલાઈ ચૂક્યું છે. લાયસન્સ વિના નાણાં ધિરતા વિધર્મી વ્યાજખોરો હિંદુઓને બંટા વ્યાજ પર પૈસા આપી તગડાં વ્યાજ વસૂલવા ઉપરાંત માનસિક-શારીરિક ત્રાસ પણ આપી રહ્યા છે. નોંધનીય છે કે, બંટા વ્યાજના ગેરકાયદે ધંધામાં વિધર્મી મહિલાઓ પણ સામેલ છે.

એકવાર બંટા વ્યાજના વિષચક્રમાં ફસાઈ જનારા ફરી ક્યારેય બહાર આવતા નથી. હવે તો નાના-મોટા ધંધા રોજગાર કરવા તેમજ પ્રસંગો ઉકેલવા તથા સાજે-માંદે પૈસાની ભીડ અનુભવતા કે પછી પૈસાના દેવામાં ડૂબી જનારાઓ પણ બંટા વ્યાજ પર પૈસા લઈ રહ્યા છે. આવા લોકો બેંકના નીતિ-નિયમો અને બેંકની પધ્ધતિનું પૂરું જ્ઞાન ન હોવાને લીધે તથા બેન્કિંગ ક્ષેત્રની જરૂરી કાર્યવાહી પૂર્ણ ન કરી શકતા હોવાને લીધે શહેરના ખાનગી વ્યાજખોરો પાસેથી તગડાં વ્યાજે રૂપિયા લઈ મૂડી કરતા અનેકગણું વધુ વ્યાજ ચૂકવી ચૂક્યા છે અને હજુ પણ ચૂકવી રહ્યા છે. આવા લોકોની મજબૂરીનો ફાયદો વ્યાજખોરો પૂરેપૂરો ઉઠાવી રહ્યા છે અને મહિને કે અઠવાડિયે નહીં પણ દરરોજ વ્યાજ ઉધરાવે છે. વ્યાજખોરો આવા લોકોને રકમ વ્યાજે આપતાની સાથે રકમમાંથી જ પહેલો હપ્તો કાપી લે છે અને વ્યાજનું પણ વ્યાજ લેવા અને પેનલ્ટી લેવા બાકાયદા ચોપડી ચલાવે છે. વ્યાજખોરો લોકો પાસેથી રોજીંદુ 10 ટકા જેટલું તગડું વ્યાજ વસૂલ કરે છે, જે ન ભરી શકતા અનેક લોકોને ઘરબાર છોડી હિજરત કરવી પડે છે તો અનેક લોકોને પોતાની મરણમૂડી અને મકાનો સહિતની ઘરવખરી પણ વ્યાજખોરોની ચુંગાલમાં ગુમાવવી પડી છે. બંટા વ્યાજે પૈસા આપનારાઓ માથાભારે છે અને બંટા વ્યાજે પૈસા લેનારાઓ મજબૂર છે એટલે આવા અઢળક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા વિના દબાયેલા પડ્યા છે. આ દરમિયાન સૌથી મોટી વાસ્તવિકતા એ છે કે, આજકાલ બંટા વ્યાજે પૈસા લેનારાઓએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઘરબારથી એક ડગલું આગળ વધી દુનિયા છોડી જઈ રહ્યા છે. વ્યાજખોરો પાસેથી પૈસા લેવું જેટલુ સરળ છે તેની ચૂકવણી તેટલી જ અઘરી હોય છે. જો કોઈ વખત વ્યાજે લીધેલા પૈસાનો હપ્તો ચૂકવવામાં મોડું થઈ જાય તો સામે વાળી વ્યક્તિએ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પૈસાની ભરપાઈ કરવી પડે છે. વ્યાજનું પણ વ્યાજ અને વ્યાજના વ્યાજ પર પણ ફરી વ્યાજ લાગે. તેમાં પેનલ્ટી પણ ઉમેરાય છે! કેટલાક કિસ્સાઓમાં તો વ્યાજે લીધેલા પૈસાથી અનેક ગણા પૈસા ચૂકવાઈ ગયા બાદ પણ પૈસા ચૂકવવાના બાકી નીકળે છે. તો ક્યારેક વ્યાજખોરોના ત્રાસથી વ્યક્તિ પોતાના જીવનનો અંત પણ આણી દે છે.

લઘુમતી કોમનાં શખ્સો અને મહિલાઓ દ્વારા ઉપલા કાંઠે બંટા વ્યાજે નાણાં ધીરવાનો ધંધો ચાલે છે ધમધોકાર

CP ગહલૌતની જેમ CP રાજુ ભાર્ગવ પણ ઝૂંબેશ ચલાવે તેવી લોકમાંગ
છેલ્લાં કેટલાંક સમયથી મંદી, મોંઘવારી અને મહામારીને કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. આ સંજોગોમાં અનેક લોકો વ્યાજંકવાદના વિષચક્રમાં ફસાઈ રહ્યાં છે. બેન્કમાંથી નાણાં લેવાની કડાકૂટ અને નિયમાનુસાર લોન પ્રાપ્ત કરવામાં અસમર્થ લોકો નાછુટકે વ્યાજખોરોના શરણે જાય છે અને બાદમાં વ્યાજના વિષચક્રમાં એવાં ફસાય છે કે એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો રહેતો નથી અને આવી નાજુક મનોસ્થિતિમાં કેટલાંક લોકો અઘટીત પગલું પણ ભરી લેતાં હોય છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો ડરના માર્યા સામે ચાલીને પોલીસની મદદ લેતાં હોતા નથી. આ સંજોગોમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને બચાવવાં ગત એપ્રિલ મહિનામાં રાજકોટ ક્રાઈમ બ્રાંચ તરફથી એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ અગાઉ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌતે વ્યાજંકવાદ સામે જબરી ઝુંબેશ હાથ ધરી હતી. જેને ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌતનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ વ્યાજખોરોના ત્રાસ ડામવા માટે કાગળ સિવાય કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા હોય તેવું દેખાતું નથી. શહેરના વર્તમાન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પણ બંટા વ્યાજ જેવા દૂષણને ડામવા માટે વ્યાજખોરો સામે લાલઆંખ કરવી જરૂરી બને છે. કોઈ અઘટીત ઘટના બન્યા બાદ વ્યાજંકવાદ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવશે તો કદાચ થોડું મોડું થઈ ગયું એમ કહેવાશે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વ્યાજખોરોથી કંટાળીને કેટકેટલાંય લોકોએ આપઘાતનું પગલું ભર્યુ છે, ગુજરાત આખામાં કેટલાંક કિસ્સાઓમાં સામૂહિક આપઘાતમાં ઘર-પરિવાર બરબાદ થયા છે. સામાજિક કારણોસર ચક્રવૃદ્ધિ વ્યાજના ચક્કરમાં ફસાતા વ્યક્તિઓ માટે આપઘાત આખરી માર્ગ બની રહે છે. વ્યાજંકવાદનું વિષચક્ર દિનપ્રતિદિન વકરી રહ્યું છે. વખાના માર્યા વ્યાજે રૂપિયા લેનારા અનેક લોકો મહિને કે અઠવાડિયે નહીં પરંતુ રોજેરોજનું બંટા વ્યાજ ન ચૂકવી શકતા પોતાના ઘરબાર છોડી હિજરત કરી રહ્યાં છે. અને કોઈક તો આ દુનિયા છોડી પણ જઈ રહ્યા છે. કેટલાંક કિસ્સાઓમાં એવું પણ સામે આવ્યું છે કે, બંટા વ્યાજના ચુંગાલમાં એક વ્યક્તિ જ નહીં, ક્યારેક આખું કુટુંબ ફસાઈ જાય છે. બંટા વ્યાજનો અજગરી ભરડો વ્યાજે પૈસા લેનાર સિવાય તેના પરિવારજનો અને કુટુંબીઓને પણ ભરખી જાય છે. અમુકવાર કોઈનું વ્યાજ કોઈને ભરવું પડે છે. વ્યવહારોથી લઈ વ્યક્તિઓ ખતમ થઈ જાય છે પણ વ્યાજનું વિષચક્ર પૂરું થતું નથી. તેથી બંટા વ્યાજના ફેલાતા જતા દૂષણ વચ્ચે લાઈસન્સ વગર નાણાં ધિરધારનો ગેરકાયદે ધંધો કરી મન પડે તેટલુ વ્યાજ વસૂલતાં તત્વો ઉપર અંકુશ મેળવવો ખૂબ જ જરૂરી બની ગયો છે. ગુજરાત રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લૉન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ના આવે તે માટે સરકારે કેટલાક નવા કાયદાઓ બનાવ્યા છે. આ કાયદાઓને આધારે વ્યાજંકવાદની બદીને ડામવા માટે પોલીસ ખાતાએ વ્યાજના વિષચક્રમાં ફસાયેલો માટે લોક દરબાર યોજી ગેરકાયદે વ્યાજ પર પૈસા આપનાર, વ્યાજ વસૂલનાર વ્યાજખોરો સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલાં લેવા જોઈએ.

બંટા વ્યાજ કોણ અને કેટલાં સમય માટે લે છે?
કેટલા સમયમાં પૈસા પરત કરવાના હોય છે?

રાજકોટ શહેરમાં નાના-મોટા જુગારીઓ અને વેપારીઓ અને ખાસ તો પૈસાદાર લોકોના નબીરાઓ વ્યાજખોરો પાસેથી બંટા વ્યાજ પર પૈસા લેતા હોય છે. જોકે હવે તો સૌ કોઈ બંટા વ્યાજે પૈસા લેતા થઈ ગયા છે. બંટા વ્યાજ પર પૈસા ખુબ જ ટૂંકા સમયગાળા માટે લેવામાં આવે છે. બંટા વ્યાજમાં દરરોજ કલાકે કલાકનું વ્યાજ ચઢતું જ જાય છે. બંટા વ્યાજ પર પૈસા લીધા બાદ તેનું વ્યાજ બેગણું ચૂકવવાનું થતું હોય અમુક કલાકો કે દિવસોમાં જ બંટા વ્યાજે પૈસા લેનારે વ્યાજ સહિત મૂળ મૂડી બંટા વ્યાજે પૈસા આપનારને પરત કરવાની હોય છે.

 

You Might Also Like

અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો

કાર સળગાવી દીધાની ફરિયાદનો ખાર રાખી યુવક ઉપર છરીથી હુમલો

જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવી લેનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

છખઈના શાસક પક્ષના નેતા પર સરકારી કારના દુરુપયોગની ફરિયાદ: પોલીસ દ્વારા ‘ક્લીનચીટ’ અપાતા વિવાદ

ટેન્કરની ટક્કરે પોલીસ હેડ કોન્સ્ટેબલ દંપતીના મોતના કેસમાં વળતર: વારસદારોને વ્યાજ સાથે કુલ રૂ.73 લાખ ચૂકવવા હુકમ!

TAGGED: BANTAINTEREST, Money, police, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડઝને’ક RTIનાં સેંકડો મુદ્દાઓમાંથી એકનો પણ જવાબ આપી ન શક્યા શાસનાધિકારી કિરીટ પરમાર
Next Article ખંધા વ્યાજખોરોની હવે ખેર નથી: બંટા વ્યાજથી પીડિત યુવતીને PI ભૂકણએ સૂઝબૂઝથી ન્યાય અપાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shailesh Sagpariya

નાની મદદનું મોટું પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ
સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા
કંપની રાજ અને કોર્પોરેશન્સ
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો
તાલાલા તાલુકાનાં ધાવા ગિર ગામના રાજુભાઈ ઘોડાસરાએ વતન પ્રેમના દર્શન કરાવ્યા: વિનામૂલ્યે ભોજનાલય શરૂ કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ગુજરાત

કાર સળગાવી દીધાની ફરિયાદનો ખાર રાખી યુવક ઉપર છરીથી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવી લેનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?