ધોરણ 12 ની પોલિટિકલ સાયન્સ બુકમાં ‘લોકશાહી અધિકાર’ નામના 5મા પ્રકરણમાં ગુજરાત રમખાણો સહિતનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો
નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 12 ની પોલિટિકલ સાયન્સ બુકમાં ઘણા ફેરફારો કર્યા છે. વાત જાણે એમ છે કે, પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, હિંદુત્વની રાજનીતિ, 2002ના ગુજરાત રમખાણો અને લઘુમતીઓ સંબંધિત કેટલાક સંદર્ભો હટાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પુસ્તક શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે. તાજેતરના વર્ષોમાં પુસ્તકોમાંથી ઘણા સંવેદનશીલ વિષયો દૂર કરવામાં આવ્યા છે.
- Advertisement -
NCERT એ ગુરુવારે (4 એપ્રિલ) તેની વેબસાઈટ પર આ ફેરફારો જાહેર કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન શાળાઓમાં NCERT પુસ્તકો ભણાવવામાં આવે છે. દેશમાં આ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓની સંખ્યા લગભગ 30 હજાર છે. CBSE બોર્ડની શાળાઓ ભારતના લગભગ દરેક ભાગમાં હાજર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અન્ય રાજ્યોના બોર્ડના પુસ્તકોમાં પણ આવા ફેરફારો જોવા મળે છે.
આવો જાણીએ અયોધ્યા પર શું લખ્યું હતું?
એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ ‘ભારતીય રાજનીતિઃ ન્યૂ ચેપ્ટર’ નામના પોલિટિકલ સાયન્સના આઠમા પ્રકરણમાં ‘અયોધ્યા ધ્વંસ’નો સંદર્ભ હટાવી દેવામાં આવ્યો છે. પ્રકરણમાં ‘રાજકીય ગતિવિધિની પ્રકૃતિ માટે રામજન્મભૂમિ આંદોલન અને અયોધ્યા ધ્વંસનો વારસો શું છે?’ તેને બદલીને ‘રામ જન્મભૂમિ આંદોલનનો વારસો શું છે?’ કરવામાં આવ્યું છે. NCERTનું કહેવું છે કે, આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી પ્રશ્નોના જવાબોને નવા ફેરફારો સાથે જોડી શકાય.
ગુજરાત રમખાણો સહિત આ વિષયો બદલવામાં આવ્યા
‘ઇન્ડિયન પોલિટિક્સઃ ન્યૂ ચેપ્ટર’માં જ બાબરી મસ્જિદ અને ‘હિંદુત્વ રાજકારણ’ના સંદર્ભો પણ હટાવી દેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણય બાદ અયોધ્યામાં રામ મંદિર કેવી રીતે બન્યું. ‘લોકશાહી અધિકાર’ નામના 5મા પ્રકરણમાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો છે. NCERTનું કહેવું છે કે, આ ઘટના 20 વર્ષ જૂની છે અને તેને ન્યાયિક પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવી છે.
- Advertisement -
આ સાથે કેટલીક જગ્યાઓ જ્યાં પહેલા મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ હતો તે પણ બદલવામાં આવ્યા છે. પ્રકરણ 5 માં જ મુસ્લિમોને વિકાસના લાભોથી ‘વંચિત’ રાખવાનો સંદર્ભ દૂર કરવામાં આવ્યો છે. મુસ્લિમોના સંદર્ભમાં પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે કેવી રીતે તેમને અલગ ગણવામાં આવે છે, જેનાથી તેમની વિરુદ્ધ નફરત અને હિંસાનો પૂર્વગ્રહ વધે છે. અગાઉ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેમની સાથે અન્યાયી વર્તન અને ભેદભાવ કરવામાં આવે છે.