ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ગોહાટી ખાતે તા. 29-7થી નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ જુનિયર (ઞ-17) ભાઈઓની ડો. બી. સી. રોય ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની ટીમમાં રાજકોટના બે ખેલાડીઓ પૃથ્વી જેઠવા તથા હિત પારેખ પસંદગી પામી ગોહાટી ખાતે રમવા ગયેલા છે.
- Advertisement -
ગુજરાત પ્રથમ મેચ તા. 29-7ના રોજ જમ્મુ-કાશ્મીર સામે, બીજો મેચ તા. 31-7ના રોજ ત્રિપુરા સામે, ત્રીજો મેચ તા. 2-8ના રોજ ઉત્તરાખંડ સામે તથા ચોથો મેચ તા. 4-8ના રોજ મધ્યપ્રદેશ સામે રમશે. પસંદગી પામેલા ખેલાડીઓને એસોસિએશનના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા, ડી. વી. મહેતા, બી. કે. જાડેજા, રોહિત બુંદેલા, કોચ સુનિલ ગુસેન, અજય ભટ્ટ, અમૃતલાલ બહુરાશી, અમિત શિયાળીયા, મનદિપસિંહ બારડ, અનુરાગ મલ્લ, દિપકરાવ યશવંતે, ઉપેન્દ્રસિંહ ઝાલા, રોહિત પંડિત, ભરત શિયાળીયા વગેરે સભ્યોએ શુભેચ્છા પાઠવેલી છે.