નાકરાવાડીમાં ચાલુ વર્ષે હાલ પ્રારંભિક તબક્કે અંદાજીત 1,22,500 ચો.મી.માં કુલ 2,32,500 મીયાવાકી પધ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
- Advertisement -
નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે ખુલ્લી જગ્યામાં મીયાવાકી થીમ 5ધ્ધતિ તથા ઘનિષ્ઠ વૃક્ષારો5ણ કરવા પ્રારંભિક તબક્કે અંદાજીત 1,22,500 ચો.મી.માં કુલ 2,32,500 વૃક્ષોનું ચાલુ વર્ષે વાવેતર કરવા આયોજન કરવામાં આવેલ છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલે આ સ્થળે ઘનિષ્ઠ વૃક્ષારો5ણના કામની સાથોસાથ નાકરાવાડી સાઈટ ઉપર ચાલી રહેલ જુદા-જુદા પ્રોજેકટસની મુલાકાત પણ લીધી હતી..
નાકરાવાડીની મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરશ્રી જણાવ્યું હતું કે, નાકરાવાડી ખાતે આ વિસ્તારમાં જુદા જુદા બ્લોક બનાવી વાહનો જઇ શકે તે માટે આંતરીક કાચા રસ્તાની કામીગીરી પુર્ણ થયેલ છે. આ સમગ્ર વિસ્તારમાં કંપોસ્ટ ખાતરનું પ્રથમ થર કરવા માટે અંદાજે 700 ડમ્પર જેટલું કમ્પોસ્ટ (ખાતર) ઠાલવવામાં આવેલ છે અને હજુ વધારે કમ્પોસ્ટ ઠાલવવા માટેની કામગીરી પ્રગતિમાં છે. હાલ આ જગ્યા 5ર વૃક્ષારો5ણ માટે કાયમી ધોરણે પાણીની સગવડતા આપવા થોડો સમય લાગે તેમ હોઈ, હાલ પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે પૂરી પાડવા બે વર્ટીકલ બોર બનાવવામાં આવેલ છે. કમ્પોસ્ટના ઢગલાઓને પારથવાની કામગીરી પણ શરૂ કરવામાં આવેલ છે.
તા.19-03-2024ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી આનંદ પટેલ, ડેપ્યુટી કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીશ્રીઓને સાથે રાખી, રાજકોટ મહાનગરપાલિકાની નાકરાવાડી સાઈડ ઉપર ચાલી રહેલ જુદા-જુદા કામો પ્રોજેકટોની મુલાકાત લીધેલી હતી.