જો આહારમાં સુધારો કરવામાં આવે તો દર વર્ષે પાંચમાંથી એકનો જીવ બચાવી શકાય: વૈશ્વિક ખાદ્ય નીતિનાં રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
દુનિયાભરમાં અનેક બિમારીઓ માટે ખરાબ આહાર મુખ્ય કારણ છે. પૌષ્ટિક આહાર ન મળવાથી કુપોષણને પ્રોત્સાહન મળી શકે છે. પુરી દુનિયામાં બે અબજ લોકોને પૌષ્ટિક આહાર નથી મળી રહ્યા. નવા અધ્યયન અનુસાર જો આહારમાં સુધારો કરી લેવામાં આવે તો દર વર્ષે પાંચમાંથી એકનો જીવ બચાવી શકાય.
- Advertisement -
રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં બે અબજથી વધુ લોકો સુક્ષ્મ પોશક તત્વોની કમીનો સામનો કરી રહ્યા છે, નેપાળમાં આંતર રાષ્ટ્રીય ખાદ્ય નીતી અનુસંધાન સંસ્થાન તરફથી વૈશ્વિક ખાદ્ય નીતિ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
સ્વસ્થ આહાર અને પોષણ માટે ખાદ્ય પ્રણાલી નામથી જાહેર રિપોર્ટમાં ઓછી આવકવાળા દેશો અને દક્ષિણ એશીયાના દેશોમાં અલ્પપોષણ સંબંધીત મામલા પર ધ્યાન આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્વસ્થ આહાર નહી લેવાથી લગભગ 2.2 અબજ (40 ટકા) પુરૂષ અને મહિલાઓ વધુ વજન કે સ્થુળતાથી પીડિત છે.
બાળકો પર પણ અસર
અધ્યયનમાં જાણવા મળ્યું કે, ખરાબ ગુણવતાવાળા આહારનાં કારણે પાંચ વર્ષથી ઓછી વયનાં 14.8 કરોડ બાળકો અવિકસીત અને 4.8 કરોડ બાળકો ઓછા વજનના છે. આ ઉપરાંત 50 લાખ લોકો ડાયાબીટીસથી પીડિત છે. સંશોધકોએ જણાવ્યું હતુંકે બધાને માટે ટકાઉ સ્વાસ્થ્ય આહાર હાંસલ કરવા માટે ચાર બિંદુઓ પર ઉપલબ્ધતા, સામર્થ્ય અને કમીનો સામનો કરવો જરૂરી છે.
- Advertisement -
ખર્ચ કરવાની ક્ષમતા ઓછી:
આઈએફપીઆરઆઈનાં વરિષ્ઠ અવિનાશ કિશોરે જણાવ્યું હતું કે દુનિયાભરમાં બે અબજથી વધુ લોકો એવા છે જે સ્વસ્થ આહાર પર ખર્ચ નથી કરી શકતા.