જિલ્લા મથકો પર શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો
ધોરણ 10માં સોમવારે ગુજરાતી, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ નામાના મૂળ તત્વોનું પેપર : પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મીઠું મોઢું કરીને સ્વાગત કરાશે
તારીખ 28 ને સોમવારથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા નો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષાને લઇને રાજકોટ સહિત રાજ્યભરમાં શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ અને શુભેચ્છાઓ મળી રહી છે. બે વરસ સુધી કોરોના ના લીધે માસ પ્રમોશન મળ્યા બાદ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2022ની ધોરણ 10 અને 12 ની પરીક્ષા આગામી તારીખ 28 ને સોમવારથી શરૂ થવા જઈ રહી છે.
- Advertisement -
ગુજરાતમાં ધોરણ 10 માટે 9.64.529 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સ માટે 95982 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.25.834 વિદ્યાર્થીઓ આખા વરસની મહેનતનો નિચોડ બોર્ડની પરીક્ષા દરમિયાન આપશે. બોર્ડની પરીક્ષાને લઇને રાજ્ય પરીક્ષા સમિતિ દ્વારા એક્શન પ્લાન મૂકવામાં આવ્યો હતો. શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓની સંખ્યા કેન્દ્રોની સંખ્યા અને બ્લોક વ્યવસ્થા ઉપરાંત તમામ પરીક્ષા સ્થળો પર સીસીટીવી કેમેરા જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજ પુરવઠો ચાલુ રહે તે માટે પીજીવીસીએલ સાથે સતત સંકલન, પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓને શિક્ષણ તંત્રે આખરી ઓપ આપી દીધો છે આ ઉપરાંત આ વર્ષે કોરોના સંદર્ભે સાવચેતી માટે પરીક્ષા બિલ્ડિંગ ને રોજેરોજ સેનેતાઈઝ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા આપવા માટે સુચના આપવામાં આવી છે.
બોર્ડની પરીક્ષામાં સ્કૂલના ટ્રસ્ટી કે સભ્યો હાજર રહી શકશે નહીં
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં સ્કૂલના ટ્રસ્ટીઓ કે તેના સભ્યો ઉપસ્થિત રહી શકશે નહીં એવો આદેશ શિક્ષણ બોર્ડ દ્રારા કરવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોમાં પારદર્શકતા જળવાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા સંચાલક મંડળના હોદ્દેદારો કે સભ્યોને પરીક્ષાની કોઈ કામગીરી સોંપવામાં આવતી નથી. જેથી પરીક્ષા વખતે તેમણે પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેવું નહી તેવી સ્પષ્ટ્ર સૂચના આપવામાં આવી છે. આ અંગે બોર્ડ દ્રારા રાયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી તેમના તાબાની સ્કૂલો કે યાં પરીક્ષા કેન્દ્રો હોય તે શાળાના સંચાલકોને સૂચના આપવા માટે જણાવ્યું છે. બોર્ડની પરીક્ષામાં પારદર્શકતા જળવાય તે માટે ટ્રસ્ટીઓને શાળામાં પરીક્ષા વખતે હાજર નહીં રહેવા જણાવ્યું છે.