મોદીએ ટ્રમ્પને ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા: બંને દેશો વચ્ચેના સંબંધો પર ચર્ચા થઈ
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.28
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને વચ્ચે આ પ્રથમ વાતચીત છે. આ દરમિયાન ભારત-અમેરિકા સંબંધો અંગે ચર્ચા થઈ હતી. મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું- મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે તેમને અભિનંદન. અમે પરસ્પર ફાયદાકારક અને વિશ્ર્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા લોકોના કલ્યાણ અને વૈશ્ર્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું. 6 નવેમ્બરે ચૂંટણી જીત્યા બાદ પણ મોદીએ ટ્રમ્પને ફોન કરીને રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ વાતચીતમાં ટ્રમ્પે મોદીની લોકપ્રિયતાના વખાણ કર્યા અને આશા વ્યક્ત કરી કે તેઓ ભવિષ્યમાં સાથે મળીને કામ કરશે.
- Advertisement -
સપ્ટેમ્બર 2019માં જ્યારે મોદી અમેરિકા ગયા ત્યારે ટેક્સાસમાં મોદી માટે ’હાઉડી મોદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રમ્પ અને મોદીએ 50 હજારથી વધુ ભારતીય-અમેરિકનોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના ખૂબ વખાણ કર્યા હતા. આ પછી ટ્રમ્પે ફેબ્રુઆરી 2020માં ભારતની મુલાકાત લીધી હતી. ગુજરાતના અમદાવાદમાં ટ્રમ્પ માટે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિએ 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ 100થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યા હતા. ઇમિગ્રેશન અને ઇં1-ઇ વિઝામાં સુધારા જેવા નિર્ણયો પણ લેવાયા હતા, જો કે બીજા જ દિવસે ટ્રમ્પે ભારતના હિતમાં નિર્ણય લીધો અને ઇં1-ઇ વિઝા બંધ ન કરવાનું કહ્યું. તેમણે કહ્યું કે, અમેરિકાને પ્રતિભાની જરૂર છે. અમને માત્ર એન્જિનિયરોની જરૂર નથી, અમને અન્ય નોકરીઓ માટે પણ શ્રેષ્ઠ વ્યાવસાયિકોની જરૂર છે. ઇં-1ઇ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે હેઠળ અમેરિકન કંપનીઓને વિશિષ્ટ ટેક્નિકલ કૌશલ્ય ધરાવતા હોદ્દા માટે વિદેશી વ્યાવસાયિકોને નોકરી પર રાખવાની છૂટ છે. આ વિઝા દ્વારા દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કામદારો અમેરિકામાં નિયુક્ત થાય છે.
આ સાથે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભારતે સંકેત આપ્યો છે કે સરકાર તેના તમામ નાગરિકોને ઓળખવા અને પરત લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે મળીને કામ કરશે. ગયા મહિને અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે કામ કરતી સરકારી એજન્સી (ઈંઈઊ)એ લગભગ 15 લાખ લોકોની યાદી બનાવી હતી, જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. આ યાદીમાં 18 હજાર ભારતીયો સામેલ છે. પીએમ નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે, પીટીઆઈએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટાંકીને આ દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજી વખત અમેરિકામાં સત્તા સંભાળ્યા પછી પીએમ મોદીની આ પહેલી અમેરિકા મુલાકાત હશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે ફ્લોરિડાથી જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પરત ફરતી વખતે એરફોર્સ વનમાં મીડિયાને આ વાત કહી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના સંબંધો ખૂબ સારા રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ઘણા વૈશ્ર્વિક મંચો પર પણ આ જોવા મળ્યું હતું.
- Advertisement -
ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં મીડિયાને કહ્યું, ’મારી તેમની સાથે લાંબી વાતચીત થઈ.’ તેઓ આવતા મહિને સંભવત: ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવવાના છે. ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. રાષ્ટ્રપતિ સવારે પીએમ મોદી સાથે થયેલા ફોન કોલ પર એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. સોમવારે વડાપ્રધાન મોદી સાથેની તેમની ફોન વાતચીત વિશે પૂછવામાં આવતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “(મોદી સાથેની ફોન વાતચીત દરમિયાન) બધા વિષયો પર ચર્ચા થઈ.” રાષ્ટ્રપતિ તરીકેના તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પનો છેલ્લો વિદેશ પ્રવાસ ભારતનો હતો. ટ્રમ્પ અને મોદી વચ્ચે સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે. બંનેએ સપ્ટેમ્બર 2019માં હ્યુસ્ટનમાં અને ફેબ્રુઆરી 2020માં અમદાવાદમાં બે અલગ અલગ રેલીઓમાં હજારો લોકોને સંબોધિત કર્યા હતા. નવેમ્બર 2024માં ટ્રમ્પની ચૂંટણીમાં જંગી જીત બાદ તેમની સાથે વાત કરનારા ટોચના ત્રણ વૈશ્ર્વિક નેતાઓમાં મોદીનો સમાવેશ થાય છે.
PM મોદી-રાષ્ટ્રપતિ વચ્ચે શું વાતચીત થઇ?
પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વેપાર, ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સહયોગ વધારવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને “વિશ્ર્વસનીય” ભાગીદારી તરફ કામ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સોમવારે બંને નેતાઓએ ફોન પર વાત કરી હતી. મીડિયાને આપવામાં આવેલી માહિતી અનુસાર, મોદી અને ટ્રમ્પે પશ્ર્ચિમ એશિયા અને યુક્રેનની પરિસ્થિતિ સહિત વૈશ્ર્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી અને વૈશ્ર્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ ટૂંક સમયમાં મળવા સહમત થયા છે.