ગૃહમંત્રી ગુજરાતમાં સભાઓ ગજવશે, 27મીએ અમિત શાહ જામકંડોરણામાં
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને સુરત બેઠક ભાજપને બિનહરીફ મળ્યા બાદ બાકીની 25 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન થાય તે પૂર્વે પ્રચાર માટે બાકી રહેલા 12 દિવસમાં ભાજપ- કોંગ્રેસના નેતાઓ પ્રચાર માટે ગુજરાત આવવાના છે. ખાસ કરીને ભાજપ વતી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સભાઓ ગજાવશે.
- Advertisement -
ગૃહમંત્રી અમિત શાહ આગામી તા.27મીના રોજ સાંજે ચાર વાગ્યે જામકંડોરણા ખાતે જાહેર સભા સંબોધવાના છે તો વડાપ્રધાન મોદી આગામી તા.1મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે આવશે જાહેરસભા સંબોધવાના છે.
મળતી માહિતી મુજબ ગૃહમંત્રી અમિત શાહ તા.27મીના રોજ જામકંડોરણા ખાતે કુમાર છાત્રાલયમાં 50 હજાર લોકોની સભા સંબોધશે. આ માટે ધારાસભ્ય જયેશ રાદડીયાને જવાબદારી સોંપવામાં આવી છે. જયારે પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલી સંબોધિત કરશે. લીમખેડામાં પીએમ મોદીની જનસભાનું આયોજન કરાયુ છે.