અમેરિકાની મુલાકાત સૌથી વધુ, બીજા કાર્યકાળમાં ચીનને કર્યું ઈગ્નોર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જૂને G7 સમિટ માટે રવાના થતાં પહેલાં આ વાત કહી હતી. તેમના છેલ્લા બે કાર્યકાળમાં, વડાપ્રધાને હંમેશાં તેમની પ્રથમ મુલાકાત માટે તેમના પડોશી દેશોને પસંદ કર્યા હતા. 2014માં જ્યારે તેઓ પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ વિદેશ પ્રવાસ પર નેપાળ ગયા હતા. જ્યારે તેઓ બીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ માલદીવ્સ ગયા હતા.
આ વખતે તેમણે પશ્ચિમી દેશ ઈટલીને પસંદ કર્યો. ’નેબરહુડ ફર્સ્ટ’ એટલે કે પાડોશી પ્રથમવાળી પોલિસીને અનુસરતા વડાપ્રધાન મોદીએ આવું કેમ કર્યું?
2015માં પાકિસ્તાનની મુલાકાત લેવાની હોય કે 2019માં શી જિનપિંગને ભારત આવવાનું આમંત્રણ હોય, મોદીએ દરેક કાર્યકાળમાં પોતાની વિદેશનીતિથી દેશને ચોંકાવી દીધો છે. પૂર્વ રાજદૂત અશોક સજ્જનહારના કહેવા પ્રમાણે, 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે એવું માનવામાં આવતું હતું કે વિદેશનીતિ તેમની સત્તાની સૌથી નબળી કડી હશે. જો કે, આવું બન્યું ન હતું. નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને રશિયા-યુક્રેન યુદ્ધમાં સરકારના મજબૂત વલણે મોદીને વિદેશી બાબતોમાં પણ વધુ સારા નેતા સાબિત કર્યા.
2014માં શપથ લીધા બાદ તેઓ નેપાળના પ્રવાસે ગયા હતા. પાડોશી દેશ હોવા છતાં 17 વર્ષ સુધી કોઈ ભારતીય પીએમ અહીં ગયા ન હતા. મોદીએ ગલ્ફ દેશો સાથે પણ સંબંધો મજબૂત કર્યા. 30 વર્ષ બાદ ઞઅઊની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે.મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળમાં 5 વખત ચીનની મુલાકાત લીધી હતી. તેઓ એવા ભારતીય વડાપ્રધાન છે કે જેમણે સૌથી વધુ વખત ચીનની મુલાકાત લીધી છે. આમ છતાં ચીને 2020માં ગલવાનમાં ઘૂસણખોરી કરીને બંને દેશોના સંબંધોને બગાડ્યા હતા. જો કે સજ્જનહાર માને છે કે આને મોદીની વિદેશનીતિની નિષ્ફળતા ન કહી શકાય. આ ચીન દ્વારા કરવામાં આવેલી ભૂલ છે.