ખાસ-ખબર સંવાદદાતા
મણિપુરમાં સ્થિતિ સુધરતી જણાતી નથી. લગભગ પાંચ મહિનાથી સળગી રહેલા રાજ્યમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ઇમ્ફાલ ઘાટીમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા બે વિદ્યાર્થીઓની હત્યાના વિરોધમાં સેંકડો વિદ્યાર્થીઓએ મંગળવારે ઇમ્ફાલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં છોકરીઓ સહિત ઓછામાં ઓછા 34 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. બગડતી પરિસ્થિતિને જોતા, મણિપુર સરકારે ફરીથી આગામી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.મણિપુર સરકારે 1 ઓક્ટોબર, 2023 ના રોજ સાંજે 7:45 વાગ્યા સુધી તાત્કાલિક અસરથી રાજ્યના અધિકારક્ષેત્રમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટા સેવાઓ, ટઙગ દ્વારા ઇન્ટરનેટ/ડેટા સેવાઓને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
મણિપુરમાં પાંચ દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત, રાજ્યમાં સ્થિતિ વણસી
