પવન સારો હોવા છતાં આકાશ દર વખતની માફક પતંગો ઊડતી જોવા નથી મળી રહી
કોરોનાની મહામારી વચ્ચે સતત બીજા વર્ષે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરની શરૂઆત થતા કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજના દિવસે કોરોના મહામારી વચ્ચે ઉતરાયણના પર્વ પર માહોલમાં કયાંક ઉજવણી તો કયાંક ઉદાસીનતા જોવા મળી હતી.
ગણ્યાગાંઠા રાજકોટીયન્સ પરિવાર અને મિત્રો સાથે મકરસંક્રાતિ ઉજવી રહ્યા છે. પવન સારો હોવા છતાં આકાશ દર વખતની માફક પતંગો ઊડતી જોવા નથી મળી રહી.
- Advertisement -
સતત બીજા વર્ષે કોરોના મહામારી વચ્ચે ઉતરાયણ પર્વની ઉજવણી તો કરવામાં આવી રહી છે પરંતુ તેમાં દર વર્ષ જેવો માહોલ જોવા નથી મળી રહ્યો.
- Advertisement -
આ વર્ષે સરકાર દ્વારા મ્યુઝિક સિસ્ટમ સહિત અનેક વસ્તુઓ પર નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રંગીલા રાજકોટમાં મકરસંક્રાંતિના દિવસે લોકો પોતાની છત પર પતંગ ઉડાવી નિરૂત્સાહ મજા માણી રહ્યા છે.