ખાણ ખનિજ વિભાગે બિનવારસી દરોડો કર્યો અને બીજા દિવસે ફરી ખનન શરૂ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજના ભરપૂર ભંડારને લૂંટવા ખનિજ માફીયાઓ સેટ સક્રિય રહે છે ત્યારે ખનિજ વિભાગની નિષ્ક્રિયતાના લીધે ખનન કરતા માફિયાઓને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેવું નજરે પડે છે તેવામાં મુળી પંથકમાં થતા ગેરકાયદેસર સફેદ માટીના ખનન બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરે રજુઆત કરી હતી જેમાં સરકારી જમીન પર કબજો કરી સફેદ માટીના ખનન બાદ હવે ખનિજ માફીયાઓ દ્વારા માલિકીની જમીન પર પણ ખોદાણ શરૂ કરી દેવાયું છે જેને લઇ અહેવાલો પ્રસિધ્ધ થતા ખનિજ વિભાગે દુધઈ ગામે દરોડો કર્યો હતો પરંતુ આ વખતે પણ દર વખતની જેમ ખનિજ વિભાગ દરોડો કરે તે પૂર્વે વાહનો લઇને ખનિજ માફીયાઓ નાશી છૂટયા હતા જેથી ખનિજ વિભાગના કર્મચારીઓ દ્વારા પંચ રોજ કામ કરી પોતાની કામગીરી દર્શાવી દીધી હતી જ્યારે ખનિજ વિભાગ પોતાની કામગીરી પૂર્ણ કરી કે તુરંત જ બીજા દિવસે ફરીથી આ સ્થળ પર સફેદ માટીનું ખનન થતું જોવા મળ્યું હતું.