જેક્લિન ફર્નાન્ડિસ અને સલીમ-સુલેમાનનું પર્ફોર્મન્સ; ઈંઙક-રણજી ટ્રોફીના ખેલાડી રમશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજથી રાજકોટમાં ફરી જામશે ક્રિકેટનો જંગ. ઈંઙક પૂર્ણ થતાની સાથે જ હવે ફરી રાજકોટમાં જામશે મીની ઈંઙક એટલે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગનો જંગ. આજ રોજ તારીખ 7 જૂનથી શરૂ કરી આગામી 20 જૂન 2025 સુધી રાજકોટ-જામનગર રોડ પર આવેલ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગ શરૂ થવા જઇ રહી છે.
આજ રોજ સાંજે 4 વાગ્યે આ લીગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને સાંજે ઓપનિંગ સેરેમની યોજાશે જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા હાજર રહેશે.
- Advertisement -
પ્રથમ મેચ સાંજે 5 વાગ્યે શરૂ થશે અને મેચ પછી સલીમ-સુલેમાન અને જેકલીન ફર્નાન્ડીઝ દ્વારા એક મેગા કોન્સર્ટ યોજાશે જેમાં હોસ્ટ તરીકે શેફાલી બાગા જોડાશે. ત્યારબાદ ધમાકેદાર સંગીત પ્રદર્શન અને આતશબાજી થશે. ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થતી આ ટી-20 લીગમાં પાંચ ટીમો વચ્ચે કુલ 21 મેચ રમાશે જેમાં ફાઇનલનો પણ સમાવેશ થાય છે અને આ તમામ 21 મેચ લાઈવ જીઓ હોટ સ્ટાર પર નિહાળી શકશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી ઈંઙકની જેમ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (જઙક)નું આયોજન કરવામાં આવે છે જેને આ વખતે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગ નામ આપવામાં આવ્યું છે. આ વર્ષે આ લીગનું સંપૂર્ણ મેનેજમેન્ટ આરિવા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સોંપવામાં આવ્યું છે.
જેમના દ્વારા ગત વર્ષ બેંગાલ પ્રો ટી-20 લીગ યોજવામાં આવી હતી. આજથી શરૂ થતી આ લીગમાં ભારતીય ટીમમાં રમતા તેમજ ઈંઙક અને રણજી ટ્રોફી ડોમેસ્ટિક ક્રિકેટમાં અલગ અલગ ટીમોના અનુભવી તેમજ ઉભરતા ખેલાડી તમામને યોગ્ય પ્લેટફોર્મ આપી સિલેક્શન કરવામાં આવ્યું છે.
જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્સન રમશે
- Advertisement -
દરેક ટીમ વચ્ચે 8-8 મેચ રમાશે
આ લીગમાં જાણીતા ખેલાડી જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન, પ્રેરક માંકડ, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અને હાર્વિક દેસાઈ જેવા ખેલાડીઓ પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે. આ વખતે પાંચ ટીમો વચ્ચે જંગ જામશે જેમાં અનમોલ કિંગ્સ હાલાર, આર્યન સોરઠ લાયન્સ, ગોહિલવાડ ટાઇટન્સ, ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ અને જેએમડી કચ્છ રાઇડર્સનો સમાવેશ થાય છે. પાછલા વર્ષોમાં રમાયેલ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં દરેક ટિમ વચ્ચે 4-4 મેચ રમાતી હતી જેમાં બદલાવ કરી આ વખતે 8-8 મેચ રમાડવા નિર્ણય કરવામાં આવ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વધુ મેચ રમવાથી ખેલાડીઓ સારું પર્ફોમન્સ કરી શકે અને વધુને વધુ સૌરાષ્ટ્રના ખેલાડીઓ ઈંઙક તેમજ ઇન્ડિયા માટે સિલેક્સન પામી શકે.