By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    17 hours ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    2 days ago
    દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
    2 days ago
    ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને ફટકારી 44 વર્ષની જેલની સજા! જાણો કોણ છે નરગીસ મોહમ્મદી?
    2 days ago
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ
    17 hours ago
    લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ
    18 hours ago
    સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક
    19 hours ago
    લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી
    19 hours ago
    અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    20 hours ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    2 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    4 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    5 days ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    18 hours ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    5 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    5 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    6 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેવું અન્ન તેવું મન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > જેવું અન્ન તેવું મન
AuthorDr. Sharad Thakar

જેવું અન્ન તેવું મન

Khaskhabar Editor
Last updated: 2022/06/22 at 2:19 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

સુખની વ્યાખ્યા શી છે? એ ક્યાંથી મળે છે? તેની માત્રાનો આધાર શેના પર છે? આ બધા પ્રશ્નોનો ઉત્તર એક દૃષ્ટાંતમાંથી મળી જશે. એક અત્યંત દરિદ્ર બ્રહ્માણ હતો. તેના પરિવારમાં 6 સભ્યો હતા. એક દિવસ એવો આવ્યો કે એક ટંકના ભોજન પુરતું અન્ન પણ ઘરમાં બચ્યું ન હતું. આખરે તે બ્રાહ્મણ મદદની યાચના કરવા માટે એક ખાધે-પીધે સુખી એવા પંડિતના ઘરે ગયો. પંડિતે સૌથી પહેલું કામ એની હથેળીની રેખાઓ જોવાનું કર્યું. પંડિત સ્વયં આશ્ચર્ય પામી ગયા. તેમણે કહ્યું, ભાઈ, તારી હથેળીમાં પડેલી રેખાઓ અદ્દલ મુકેશ અંબાણીની હસ્ત રેખાઓ સાથે સામ્ય ધરાવે છે.
બ્રાહ્મણ રડમસ થઇ ગયો, પંડિતજી, મારી મશ્કરી શા માટે કરો છો? ક્યાં અંબાણી અને ક્યાં હું? રાજા ભોજ અને ગાંગુ તૈલી એ બંનેની ભાગ્ય રેખાઓ એક સમાન શી રીતે હોઈ શકે?
પંડિતે તે રડતા બ્રાહ્મણને શાંત પાડવા માટે 100 રૂપિયાની નોટ આપી દીધી અને કહ્યું, આમાંથી સીધું-સામાન ખરીદી લેજે. તારા ઘર માટે 15 દિવસનો પ્રશ્ન ઉકલી જશે. હવે તો તું રાજી થયો ને?
ગરીબ બ્રાહ્મણનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો તેણે કહ્યું, હા, મને અતિશય આનંદ થયો છે.
પંડિતે પૂછ્યું, તું જણાવી શકે છે કે તને કેટલો આનંદ થયો? જવાબમાં બ્રાહ્મણે પોતાના બે હાથ પહોળા કરીને કહ્યું, “આટલો બધો.”
હવે પંડિતે ફોડ પાડ્યો, જયારે મુકેશ અંબાણીને એક હજાર કરોડનો નફો થાય છે ત્યારે તેને પણ આટલો જ આનંદ મળે છે. તમારા બન્નેના ફાયદાના આંકડામાં મોટો ફરક હોઈ શકે પરંતુ તમારા બન્નેનાં આનંદની માત્રા એક સરખી રહેતી હશે. માટે જ તમારી ભાગ્ય રેખાઓમાં સામ્ય છે.
આ નાનકડું દૃષ્ટાંત કેટલી મોટી વાત શીખવી જાય છે! સુખ બહારથી ક્યાંયથી નથી આવતું. જો તે બહારથી આવતું હોત તો તેની માત્રાનો આધાર જે તે પદાર્થના પ્રમાણ ઉપર રહેલો હોત. સો રૂપિયામાં પાંચસો ગ્રામ જેટલું સુખ, એક લાખ રૂપિયામાં પાંચ કિલો સુખ અથવા સો કરોડ રૂપિયામાં એક ટન જેટલું સુખ મળતું હોત; પરંતુ એવું હોતું નથી. સુખ, ખુશી, આનંદ આ બધું આપણી અંદરથી આવે છે. આથી જ જગતના ઇતિહાસમાં થઇ ગયેલા તમામ નિર્વસ્ત્ર, અયાચક સાધુઓ (જેવા કે ડાયો જીનસ) વિશ્વ વિજેતા સીકંદરો કરતા પણ વધારે આનંદમાં રહેતા હતા.
ઘળજ્ઞ છળજ્ઞઇંફળૂ ક્ષજ્ઞ ટળઘ ફઈંટજ્ઞ વે,
મળજ્ઞ વિ રુડબળજ્ઞ ક્ષફ ફળઘ ઇંફટજ્ઞ વે ॥
શ્રી રમણ મહર્ષિ એકવાર ભોજન કરી રહ્યા હતા ત્યારે નેલૂરથી આવેલા એક મુલાકાતીએ વિનંતી કરી, “ભગવાન, આપના ભોજનમાંથી એક કોળીઓ મને પ્રસાદ રૂપે આપો. મારી વિનંતી સ્વીકારો.”
મેં અનેક ધર્મગુરુઓ અને કહેવાતા સંતોને આવું કરતા જોયા છે. મોઢામાં ચાવેલું પાન બહાર કાઢીને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચતા જોયા છે. પુરુષ ભક્તો (વિશેષ રૂપે સ્ત્રી ભક્તો)ને એ થૂંકેલા પાન પર પડા-પડી કરતા જોયા છે. પૂજ્ય રમણ મહર્ષિએ શું કર્યું હશે?
પૂજ્ય મહર્ષિએ એ વખતે તો રમૂજમાં આવું કહી દીધું, “જો હું તમને મારી થાળીમાંથી એક કોળીઓ આપું તો અહીં ઉભેલા બધા જ ભક્તો એક-એક ગ્રાસની માંગણી કરશે. જો હું બધું ભોજન બીજાઓને આપી દઉં તો મારા માટે શું રહેશે?”
પછીથી મહર્ષિએ પેલા ભક્તને સાચી સમજણ આપી, “મારા ભોજનમાંથી એક ટુકડો ખાવાનું કંઈ મહત્ત્વ નથી. સાચા ભક્ત બનો. અહંકાર વિના ભોજન કરો. ત્યારે તમે જે કંઈ ખાઓ છો તે ભગવાનનો પ્રસાદ બની જાય છે.” કોઈનો ચાવેલો કોળિયો ચાવવાને બદલે ભગવાનનો આપેલો પ્રસાદ જમીને સંતુષ્ટ થઈએ. શાળામાં ભણતા હતા ત્યારે એક શિક્ષક અમને કહેતા હતા કે ભગવાને આપણા મોંમાં બત્રીસ દાંત મુક્યા છે માટે આપણે દરેક કોળિયો બત્રીસ વાર ચાવવો જોઈએ.
સિદ્ધ પુરુષો એવું કહે છે કે મનુષ્યે પ્રત્યેક કોળિયો બત્રીસ વાર નહિ પરંતુ બાવીસ વાર ચાવવો જોઈએ. સાથે મંત્ર-જાપ પણ ચાલુ રાખવો જોઈએ. જ્યારે જમણો શ્વાસ ચાલતો હોય ત્યારે ભોજન જમશો તો તે જલ્દી પચી જશે. વામ કુક્ષી કરતી વખતે ડાબા પડખે સુવાનું રાખવું. આવું કરવાથી જમણો શ્વાસ ચાલુ થશે.
સામાન્ય રીતે ખાદ્યાન્ન માટે જમણો શ્વાસ અને પેય પ્રવાહી માટે ડાબો શ્વાસ ઉત્તમ માનવામાં આવે છે. ગંગાસતી પણ એમના એક ભજનમાં “જમણામાં જમવું અને ડાબામાં પીવું” એવું કહી ગયા છે.
જેવું અન્ન તેવું મન. એક વાર એક સંત એમના શિષ્યની સાથે ભ્રમણ કરતા હતા. રસ્તામાં એક સ્થાન આવ્યું. ત્યાં એક ધર્મવૃત્તિ ધરાવતા સોનીના ઘરે ભોજન લેવા માટે રોકાયા. શિષ્યની નજર ત્યાં પડેલી સોનાની ચેન પર ગઈ. એના મનમાં લોભ જાગ્રત થયો. તેણે એ ચેન ઉપાડીને વસ્ત્રમાં સંતાડી દીધી.
ત્યાંથી આગળ ગયા પછી શિષ્યને પારાવાર પસ્તાવો થયો. તેણે પોતાના ગુરુ સમક્ષ ચોરીની કબૂલાત કરી દીધી. રડતા-રડતા પૂછ્યું, “હે ગુરુદેવ, હું આટલા વર્ષોથી તમારી સાથે રહીને શ્રેષ્ઠ ધર્મચરણ કરી રહ્યો છું. આપણે તો સાધુ છીએ. આપણને આ સોનાની ચેન કશા જ ખપની નથી. તેમ છતાં મારા મનમાં ચોરીનો વિચાર કેવી રીતે આવ્યો એ જણાવશો?”
ગુરુએ ગંભીરતા પૂર્વક કહ્યું, “વત્સ, આમાં કોઈ ચોક્કસ જ્ઞાતી કે જાતિનો વાંક નથી. આપણે જે ઘરમાં ભોજન કર્યું એ ગ્રહસ્થી જીવન જીવતા પરિવારમાં આ પ્રકારના સંસ્કાર હોવા જોઈએ. માટે ભવિષ્યમાં ભોજન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ.”
આપણા દેશમાં પ્રત્યેક પરિવારમાં બહેનો ભોજન બનાવે છે. જો ભોજન રાંધતી વખતે બહેનો મંત્ર-જાપ કરે અથવા ધાર્મિક વિચારોનું સેવન કરે તો પોતાના સમગ્ર પરિવારમાં સારા સંસ્કારોનું સિંચન કરી શકે.
કવિએ કહ્યું છે, “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.”સાથે-સાથે એક સત્ય આ પણ છે કે જે સ્ત્રી ભોજન બનાવે છે તેનામાં શ્રેષ્ઠ સમાજ રચવાની શક્તિ રહેલી છે.

You Might Also Like

સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

‘જગત બધું બતાવશે’ શું જોવું, શું ન જોવું એ તમારે નક્કી કરવાનું છે

શું માત્ર આપણે જ તકલીફમાં છીએ?

TAGGED: morning mantra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતી પત્રકારત્વનું ઝવેર
Next Article રાજકોટની દીકરી માહી દોમડિયાની સ્વર્ણિમ સિદ્ધિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ
ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ
જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ખનિજ ચોરી પર રાજકીય છત્રછાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
મનીષ આચાર્ય

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?