By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના Gen Zનો બળવો: સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી દેશવ્યાપી યુવા વિરોધ પ્રદર્શનો શરૂ
    24 minutes ago
    રશિયા એન્ટરોમિક્સ કેન્સર રસી હવે ઉપયોગ માટે તૈયાર
    1 hour ago
    રશિયાએ યુક્રેન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો, મુખ્ય સરકારી ઇમારત પર હુમલો કર્યો
    1 hour ago
    ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લાદીને કઈ ખોટું નથી કર્યું: યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી
    2 hours ago
    હું આતંકવાદીની રાજધાની મોસ્કોમાં પગ નહીં મૂકું : ઝેલેન્સકીએ પુતિનના મોસ્કો આમંત્રણને નકારી કાઢ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કર્ણાટક શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો થતાં કોમી અથડામણ, 8 લોકો ઈજાગ્રસ્ત
    12 minutes ago
    આતંકવાદી નેટવર્ક તપાસ: NIAએ 22 સ્થળોએ દરોડા પાડ્યા; પાંચ રાજ્યોમાં શોધખોળ
    55 minutes ago
    દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મથુરામાં કોલોનીઓ પાણીમાં ગરકાવ
    2 days ago
    અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો
    2 days ago
    સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    4 days ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    4 days ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    4 days ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    5 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અક્ષય કુમારે પંજાબ પૂર રાહત માટે ₹5 કરોડનું વચન આપ્યું: તે દાન નહીં પણ સેવા છે
    2 days ago
    શિલ્પા શેટ્ટીએ લાલબાગ ચા રાજા પંડાલમાં મહિલા પોલીસકર્મીની સેલ્ફીની વિનંતી નકારી
    3 days ago
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    4 days ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    5 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    2 days ago
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    6 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    6 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    2 weeks ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    પુજારાની સંપત્તિમાં વિક્રમજનક વધારો!
    3 days ago
    PBAS રિપોર્ટ પહેલાં જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવાયા
    3 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    5 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    6 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    7 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેવું અન્ન તેવું મન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > જેવું અન્ન તેવું મન
AuthorDr. Sharad Thakar

જેવું અન્ન તેવું મન

Khaskhabar Editor
Last updated: 2022/06/22 at 2:19 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

સુખની વ્યાખ્યા શી છે? એ ક્યાંથી મળે છે? તેની માત્રાનો આધાર શેના પર છે? આ બધા પ્રશ્નોનો ઉત્તર એક દૃષ્ટાંતમાંથી મળી જશે. એક અત્યંત દરિદ્ર બ્રહ્માણ હતો. તેના પરિવારમાં 6 સભ્યો હતા. એક દિવસ એવો આવ્યો કે એક ટંકના ભોજન પુરતું અન્ન પણ ઘરમાં બચ્યું ન હતું. આખરે તે બ્રાહ્મણ મદદની યાચના કરવા માટે એક ખાધે-પીધે સુખી એવા પંડિતના ઘરે ગયો. પંડિતે સૌથી પહેલું કામ એની હથેળીની રેખાઓ જોવાનું કર્યું. પંડિત સ્વયં આશ્ચર્ય પામી ગયા. તેમણે કહ્યું, ભાઈ, તારી હથેળીમાં પડેલી રેખાઓ અદ્દલ મુકેશ અંબાણીની હસ્ત રેખાઓ સાથે સામ્ય ધરાવે છે.
બ્રાહ્મણ રડમસ થઇ ગયો, પંડિતજી, મારી મશ્કરી શા માટે કરો છો? ક્યાં અંબાણી અને ક્યાં હું? રાજા ભોજ અને ગાંગુ તૈલી એ બંનેની ભાગ્ય રેખાઓ એક સમાન શી રીતે હોઈ શકે?
પંડિતે તે રડતા બ્રાહ્મણને શાંત પાડવા માટે 100 રૂપિયાની નોટ આપી દીધી અને કહ્યું, આમાંથી સીધું-સામાન ખરીદી લેજે. તારા ઘર માટે 15 દિવસનો પ્રશ્ન ઉકલી જશે. હવે તો તું રાજી થયો ને?
ગરીબ બ્રાહ્મણનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો તેણે કહ્યું, હા, મને અતિશય આનંદ થયો છે.
પંડિતે પૂછ્યું, તું જણાવી શકે છે કે તને કેટલો આનંદ થયો? જવાબમાં બ્રાહ્મણે પોતાના બે હાથ પહોળા કરીને કહ્યું, “આટલો બધો.”
હવે પંડિતે ફોડ પાડ્યો, જયારે મુકેશ અંબાણીને એક હજાર કરોડનો નફો થાય છે ત્યારે તેને પણ આટલો જ આનંદ મળે છે. તમારા બન્નેના ફાયદાના આંકડામાં મોટો ફરક હોઈ શકે પરંતુ તમારા બન્નેનાં આનંદની માત્રા એક સરખી રહેતી હશે. માટે જ તમારી ભાગ્ય રેખાઓમાં સામ્ય છે.
આ નાનકડું દૃષ્ટાંત કેટલી મોટી વાત શીખવી જાય છે! સુખ બહારથી ક્યાંયથી નથી આવતું. જો તે બહારથી આવતું હોત તો તેની માત્રાનો આધાર જે તે પદાર્થના પ્રમાણ ઉપર રહેલો હોત. સો રૂપિયામાં પાંચસો ગ્રામ જેટલું સુખ, એક લાખ રૂપિયામાં પાંચ કિલો સુખ અથવા સો કરોડ રૂપિયામાં એક ટન જેટલું સુખ મળતું હોત; પરંતુ એવું હોતું નથી. સુખ, ખુશી, આનંદ આ બધું આપણી અંદરથી આવે છે. આથી જ જગતના ઇતિહાસમાં થઇ ગયેલા તમામ નિર્વસ્ત્ર, અયાચક સાધુઓ (જેવા કે ડાયો જીનસ) વિશ્વ વિજેતા સીકંદરો કરતા પણ વધારે આનંદમાં રહેતા હતા.
ઘળજ્ઞ છળજ્ઞઇંફળૂ ક્ષજ્ઞ ટળઘ ફઈંટજ્ઞ વે,
મળજ્ઞ વિ રુડબળજ્ઞ ક્ષફ ફળઘ ઇંફટજ્ઞ વે ॥
શ્રી રમણ મહર્ષિ એકવાર ભોજન કરી રહ્યા હતા ત્યારે નેલૂરથી આવેલા એક મુલાકાતીએ વિનંતી કરી, “ભગવાન, આપના ભોજનમાંથી એક કોળીઓ મને પ્રસાદ રૂપે આપો. મારી વિનંતી સ્વીકારો.”
મેં અનેક ધર્મગુરુઓ અને કહેવાતા સંતોને આવું કરતા જોયા છે. મોઢામાં ચાવેલું પાન બહાર કાઢીને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચતા જોયા છે. પુરુષ ભક્તો (વિશેષ રૂપે સ્ત્રી ભક્તો)ને એ થૂંકેલા પાન પર પડા-પડી કરતા જોયા છે. પૂજ્ય રમણ મહર્ષિએ શું કર્યું હશે?
પૂજ્ય મહર્ષિએ એ વખતે તો રમૂજમાં આવું કહી દીધું, “જો હું તમને મારી થાળીમાંથી એક કોળીઓ આપું તો અહીં ઉભેલા બધા જ ભક્તો એક-એક ગ્રાસની માંગણી કરશે. જો હું બધું ભોજન બીજાઓને આપી દઉં તો મારા માટે શું રહેશે?”
પછીથી મહર્ષિએ પેલા ભક્તને સાચી સમજણ આપી, “મારા ભોજનમાંથી એક ટુકડો ખાવાનું કંઈ મહત્ત્વ નથી. સાચા ભક્ત બનો. અહંકાર વિના ભોજન કરો. ત્યારે તમે જે કંઈ ખાઓ છો તે ભગવાનનો પ્રસાદ બની જાય છે.” કોઈનો ચાવેલો કોળિયો ચાવવાને બદલે ભગવાનનો આપેલો પ્રસાદ જમીને સંતુષ્ટ થઈએ. શાળામાં ભણતા હતા ત્યારે એક શિક્ષક અમને કહેતા હતા કે ભગવાને આપણા મોંમાં બત્રીસ દાંત મુક્યા છે માટે આપણે દરેક કોળિયો બત્રીસ વાર ચાવવો જોઈએ.
સિદ્ધ પુરુષો એવું કહે છે કે મનુષ્યે પ્રત્યેક કોળિયો બત્રીસ વાર નહિ પરંતુ બાવીસ વાર ચાવવો જોઈએ. સાથે મંત્ર-જાપ પણ ચાલુ રાખવો જોઈએ. જ્યારે જમણો શ્વાસ ચાલતો હોય ત્યારે ભોજન જમશો તો તે જલ્દી પચી જશે. વામ કુક્ષી કરતી વખતે ડાબા પડખે સુવાનું રાખવું. આવું કરવાથી જમણો શ્વાસ ચાલુ થશે.
સામાન્ય રીતે ખાદ્યાન્ન માટે જમણો શ્વાસ અને પેય પ્રવાહી માટે ડાબો શ્વાસ ઉત્તમ માનવામાં આવે છે. ગંગાસતી પણ એમના એક ભજનમાં “જમણામાં જમવું અને ડાબામાં પીવું” એવું કહી ગયા છે.
જેવું અન્ન તેવું મન. એક વાર એક સંત એમના શિષ્યની સાથે ભ્રમણ કરતા હતા. રસ્તામાં એક સ્થાન આવ્યું. ત્યાં એક ધર્મવૃત્તિ ધરાવતા સોનીના ઘરે ભોજન લેવા માટે રોકાયા. શિષ્યની નજર ત્યાં પડેલી સોનાની ચેન પર ગઈ. એના મનમાં લોભ જાગ્રત થયો. તેણે એ ચેન ઉપાડીને વસ્ત્રમાં સંતાડી દીધી.
ત્યાંથી આગળ ગયા પછી શિષ્યને પારાવાર પસ્તાવો થયો. તેણે પોતાના ગુરુ સમક્ષ ચોરીની કબૂલાત કરી દીધી. રડતા-રડતા પૂછ્યું, “હે ગુરુદેવ, હું આટલા વર્ષોથી તમારી સાથે રહીને શ્રેષ્ઠ ધર્મચરણ કરી રહ્યો છું. આપણે તો સાધુ છીએ. આપણને આ સોનાની ચેન કશા જ ખપની નથી. તેમ છતાં મારા મનમાં ચોરીનો વિચાર કેવી રીતે આવ્યો એ જણાવશો?”
ગુરુએ ગંભીરતા પૂર્વક કહ્યું, “વત્સ, આમાં કોઈ ચોક્કસ જ્ઞાતી કે જાતિનો વાંક નથી. આપણે જે ઘરમાં ભોજન કર્યું એ ગ્રહસ્થી જીવન જીવતા પરિવારમાં આ પ્રકારના સંસ્કાર હોવા જોઈએ. માટે ભવિષ્યમાં ભોજન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ.”
આપણા દેશમાં પ્રત્યેક પરિવારમાં બહેનો ભોજન બનાવે છે. જો ભોજન રાંધતી વખતે બહેનો મંત્ર-જાપ કરે અથવા ધાર્મિક વિચારોનું સેવન કરે તો પોતાના સમગ્ર પરિવારમાં સારા સંસ્કારોનું સિંચન કરી શકે.
કવિએ કહ્યું છે, “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.”સાથે-સાથે એક સત્ય આ પણ છે કે જે સ્ત્રી ભોજન બનાવે છે તેનામાં શ્રેષ્ઠ સમાજ રચવાની શક્તિ રહેલી છે.

You Might Also Like

અમેરિકાના વિઝા કેમ નકારાય છે?

માતા પછી મા, મમ્મી અને હવે મોમ

રહેમાનનો જાદુ

પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..

સાવધાન :આપણાં કોષો આપણો અવાજ સાંભળી તે મુજબ આપણને ઘડે છે

TAGGED: morning mantra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતી પત્રકારત્વનું ઝવેર
Next Article રાજકોટની દીકરી માહી દોમડિયાની સ્વર્ણિમ સિદ્ધિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કર્ણાટક શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો થતાં કોમી અથડામણ, 8 લોકો ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
નેપાળના Gen Zનો બળવો: સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી દેશવ્યાપી યુવા વિરોધ પ્રદર્શનો શરૂ
આતંકવાદી નેટવર્ક તપાસ: NIAએ 22 સ્થળોએ દરોડા પાડ્યા; પાંચ રાજ્યોમાં શોધખોળ
બ્લડ મૂન 2025: 2022 પછીનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યો
રશિયા એન્ટરોમિક્સ કેન્સર રસી હવે ઉપયોગ માટે તૈયાર
રશિયાએ યુક્રેન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો, મુખ્ય સરકારી ઇમારત પર હુમલો કર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અમેરિકાના વિઝા કેમ નકારાય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

માતા પછી મા, મમ્મી અને હવે મોમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

રહેમાનનો જાદુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?