પુલના કામ બાબતે મેંદરડા સ્થાનિક આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો
તા.પંચાયત સભ્ય, સરપંચ સહિત આગેવાનોનો પુલ નિર્માણ કામ નબળું હોવાનો આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના મધુવંતી નદી પર પુલનું કામ નબળી ગુણવતા વાળું થતું હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયત સદસ્ય અને મેંદરડા સરપંચ અને માજી સરપંચ તેમજ તાલુકા ન્યાય સમિતિ પૂર્વ ચેરમેન સહીત આગેવાનોએ નદી પરના પુલના કામમાં લોટ પાણી લાકડા જેવું કામ થતું હોવાની રજૂઆત આર એન્ડ બીના અધિકરીને કરી હતી અને પુલમાં વપરાતી રેતી લોખંડ સહીત વસ્તુ નબળી ગુણવતા સાથે કામ થતું હોવાના આક્ષેપ કરતા અધિકારી દ્વારા આગેવાનો જણાવ્યું હતું કે, નિયમ મુજબ કામગીરી થઇ રહી હોવાની વાત કરી હતી ત્યારે સ્થાનિક આગેવાનોએ મનમાની અને દાદાગીરી કરીને કામ થતું હોવાની રજૂઆત કરી છે. મધુવંતી નદી પરના પુલનું કામ નબળું થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.ત્યારે આ પુલ સામા કાંઠા વિસ્તારને જોડતા હોવાની સાથે કેશોદ, વંથલી માળીયા હાટીના સહીત અનેક ગામને જોડાતો પુલ છે જો ભારે વરસાદ પડે પડે અને પુલનું નબળું કામ થશે અને તૂટી જશે તો સામા કાંઠા સહીતના વિસ્તારો વિખુટા પડી જશે અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવાનો વારો આવશે તેમ તાલુકા પંચાયતના સદસ્ય ભુપતભાઈ જણાવ્યું હતું ત્યારે આ પુલનું ઊંચ અધિકરીઓ સચોટ તપાસ કરીને પુલમાં વપરાતું મટીરીયલ ચેક કરવામાં આવે તો પુલની ખરા અર્થમાં થતી કામગીરી વિષે ખ્યાલ આવશે તેવી આગેવાનો માંગ કરી છે.
મધુવંતી પુલની નબળી કામગીરી બાબતે મેંદરડા સરપંચ જે.ડી.ખાવડુએ જણાવ્યું હતું કે, પુલની કામગીરીમાં રેતી, લોખંડ સહીત વાપરતા મટીરીયલમાં લોટ, પાણી, લાકડા જેવી કામગીરી થઇ રહી છે અને દાદાગિરી અને મનમાની પ્રમાણે કામ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને વધુ જણાવતા કહ્યું કે, આર એન્ડ બીના એ.સો.ટાંકને પુલના નબળા કામ બાબતે રજુઆત કરવામાં આવી પણ કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપતા નથી જયારે પુલની જાતે સ્થળ તપાસ કરી હતી અને પુલના જરૂરી ડોક્યુમેન્ટ માંગ્યા હતા પણ તે મળ્યા ન હતા આમ આ પુલનું કામ નબળું થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
- Advertisement -
જયારે મધુવંતી નદી પરના પુલના કામ બાબતે મેંદરડા તાલુકાના ન્યાય સમિતીના પૂર્વ ચેરમેન રમેશભાઇએ જણાવ્યુ હતુ કે, આ પુલનું કામ ખુબ નબળુ થઇ રહ્યું છે અને આ પુલની કામગીરીમાં વપરાતુ મટીરીયલ એસટીમેટ મુજબ થતુ નથી. જેના લીધે પુલનું કામ નબળુ થઇ રહ્યુ છે. જ્યારે મેંદરડાના પૂર્વ સરપંચ દિનેશભાઇ વેકરીયાએ જે પુલની બાજુમાં ડાર્યવર્ઝન બનાવ્યુ છે તે ડાયવર્ઝન ચોમાસા સુધી ટકી શકે તેમ નથી. જેથી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવી જોઇએ તેમજ જે મટીરીયલ્સ વપરાઇ રહ્યુ છે તે નબળુ હોવાનો આક્ષેપ કર્યો હતો. જયારે મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખ દિપકભાઇ મકવાણાએ જણાવ્યુ હતુ કે, મધુવંતી નદી પરના પુલનું જે કામગીરી થઇ રહી છે તે સારી થવી જોઇએ. જેના લીધે ભવિષ્યમાં ભારે વરસાદ પડે અને કોઇ દુર્ઘટના ન બને તેની તકેદારી રાખવી જોઇએ અને આ પુલની કામગીરીની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી છે. આ પુલની કામગીરી બાબતે અધિકારીએ આક્ષેપો પાયા વિહોણા છે અને જે કામગીરી થઇ રહી છે તે નિયમ મુજબ કરવામાં આવી રહી છે. મારી ટીમ સ્થળ પર જ હોય છે અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પુલનું કામ સારૂ થશે તેવા જવાબો મળી રહ્યા છે.