ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આવતીકાલે 8-મી માર્ચ, 2025ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે મહિલાઓને રાજકોટ મહાનગરપાલિકાના મહિલા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા મહિલાઓને શુભેચ્છા પાઠવતા જણાવે છે કે, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્કર્ષમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ મહિલાઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, કોમ્યુટર, રમતગમત, રાજકીય સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે મહિલાઓ જોગ સંદેશો પાઠવતા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા અંતમાં જણાવે છે કે, મહિલાઓ ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળી વિવિધ ક્ષેત્રમાં સમાજ ઉપયોગી તથા લોક ઉપયોગી કાર્યો કરી પોતાનું યોગદાન આપે. એક માતા સો શિક્ષકો બરાબર છે જે રૂઢીપ્રયોગને ચરિતાર્થ કરવા આજની યુવા પેઢીને શિસ્તના પાઠ શિખવે, સંસ્કારનું ચિંતન કરે, સારું શિક્ષણ આપી, દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા દ્રઢ સંકલ્પ કરે તે આજના સમાજની તાતી જરૂરિયાત છે.